Thursday, January 8, 2026

ઉતરાયણ પર્વને લઈને NPGA ગ્રુપ દ્વારા આ શાળાઓમાં પક્ષી બચાવો અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

spot_img
Share

અમદાવાદ : ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. આ એક એવો તહેવાર છે કે જે લોકોને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને ગુજરાતવાસીઓની વાત કરીએ તો આ તહેવારની લોકો ડિસેમ્બરથી જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. પરંતુ આ તહેવારની એક ખરાબ સાઇડ કહીએ તો તે મુંગા પક્ષીઓનો ભોગ આ દિવસે મોટી સંખ્યામાં લેવાય છે. આકાશમાં ઉડતા પતંગની સાથે જે દોરી હોય છે તે ઘણીવાર પક્ષીઓને ગંભીર ઇજા પહોંચાડતી હોય છે જેના કારણે પક્ષીઓ પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે.

અબોલ જીવ માટે સમગ્ર વર્ષ દરમ્યાન કામગીરી કરતા નેચર પ્રિસર્વેશન ગ્રુપ (NPGA) દ્વારા આ વર્ષે પણ શહેરના પશ્ચિમમાં આવેલ શાળાઓમાં જઈને વિધાર્થીઓમાં જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરી જાગૃત કરવાના પ્રયાસ કરે છે. જેના ભાગ રૂપે તાજેતરમાં આ સંસ્થા દ્વારા ઘાટલોડીયામાં જ્ઞાનદા સ્કૂલ અને રાણીપની નિશાંત સ્કૂલમાં પક્ષી બચાવ અભિયાન હેઠળ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં નેચર પ્રિસર્વેશન ગ્રુપ (NPGA) ના પ્રમુખ જયેશ ભાઈ લંકેશ દ્વારા ઓડિયો વિઝ્યુલ વગર વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરળ ભાષામાં જ્ઞાન સાથે ગમ્મત થકી રમકડાંના પક્ષીઓ દ્વારા પક્ષી બચાવ કામગીરી અને ચાઇનીસ દોરી, તુક્કલ તેમજ પતંગ ઉડાડવાનો સમય અને સાંજે પતંગની દોરીઓને ભેગી કરી અબોલ જીવ અને મનુષ્યને કેવી રીતે બચાવી શકાય તે માટેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે નેચર પ્રિસર્વેશન ગ્રુપ (NPGA) ના પ્રમુખ જયેશ ભાઈ લંકેશએ જણાવ્યું હતું કે સરકાર તો તેમની ચાઇનીસ દોરી, તુક્કલ વેચાણ અટકાવવા પ્રયાસ કરે જ છે પણ જો જીવદયા સંસ્થાઓ પણ જો આવી રીતે અવેરનેસ કાર્યક્રમ દ્વારા જન જાગૃતિનું કાર્ય કરે તો પક્ષી ઘાયલ થવાની ટકાવારી ઘણા પ્રમાણમાં અટકાવી શકાય એમ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...