અમદાવાદ : અમદાવાદમાં ઉજવાયેલ પ્રમુખ સ્વામી મહોત્સવની પુર્ણાહુતી થઇ ગઈ છે. ત્યારે અમદાવાદમાં 15 જાન્યુઆરીથી જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન થઈ રહ્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા આ સ્પર્શ મહોત્સવનું ઉદ્ઘાટન કરાયુ છે.જે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 15 થી 26 જાન્યુઆરી દરમ્યાન 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી GMDC ગ્રાઉન્ડમાં આજથી એટલે કે તા. 15 થી 26 જાન્યુઆરી દરમ્યાન 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. 12 દિવસ સુધી ચાલનારા આ ગુજરાત ઉપરાંત દેશ- વિદેશમાંથી શ્વેતાંબર જૈન સમાજના આશરે 20 લાખ અનુયાયીઓ આ કાર્યક્રમની મુલાકાત લેવા આવનાર છે. જેમા નાના બાળકો સહિત તમામ લોકો માટે વિવિધ પ્રકારના ક્રાર્યક્રમ યોજાનાર છે. આ મહોત્સવમાં જૈન સમાજના આધ્યાત્મિક ગુરૂ વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકોનુ વિમોચન કરવામાં આવી રહ્યુ છે.
જૈન સમાજના આ સ્પર્શ મહોત્સવ બાર દિવસ સુધી ચાલનાર છે. આ કાર્યક્રમમાં સવારે 9:00 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવચન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. અને રાત્રિ દરમિયાન લેઝર એન્ડ સાઉન્ડ શોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. સ્પર્શ મહોત્સવમાં લગભગ 40 હજાર જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં 15 થી 26 જાન્યુઆરી દરમ્યાન 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવ યોજાઈ રહ્યો છે.