Saturday, February 7, 2026

રિયાલિટી ચેક : એસબીઆઈની એટીએમ અને સીડીએમ સેવાઓ…‘નામ બડે ઓર દર્શન ખોટે’

spot_img
Share

અમદાવાદ : એક તરફ સરકાર ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે લોકોને આહવાન કરે છે ત્યારે અમદાવાદ જેવા મેગાસિટીમાં પણ એસબીઆઈના અનેક એટીએમ અને પૈસા ભરવાના સીડીએમ (કેશ ડિપોઝીટ મશીન) મોટાભાગે બંધ રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે.જેને કારણે લોકોને ઈમરજન્સીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વર્તમાન ડીજીટલ યુગમાં લોકો મોટેભાગે ઓનલાઈન ટ્રાન્સફર કે યુપીઆઈ મદદથી મની ટ્રાન્સફર કરી રહ્યાં છે પરંતુ હજુ પણ લાખો લોકો આ પ્રકારની સુવિધાઓથી વંચિત છે અને તેઓ ફરજીયાત એટીએમનો ઉપયોગ કરી રહ્યા છે.આ સિવાય લાખો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બેંકિંગ અવર્સ બાદ ફરજીયાત એટીએમનો ઉપયોગ કરી રહ્યા છે

એક તરફ બેન્કોની ગળાકાપ સ્પર્ધાઓ ચાલી રહી છે નાની મોટી ખાનગી બેન્કો દ્વારા અમદાવાદમાં ઠેર ઠેર એટીએમ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની એસબીઆઈ પોતાના ગ્રાહકો માટે સેવાઓમાં કયાંક ઉણી ઉતરતી હોય તેવું લાગી રહ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસબીઆઈના એટીએમ ખૂબ કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે.ખાનગી બેન્કની સરખામણીમાં ફક્ત નામ પુરતા હોવાનું એટીએમ હોવાનું લાગી રહ્યું છે. અમદાવાદના પશ્ચિમના અનેક વિસ્તારમાં એસબીઆઈના એટીએમ અને પૈસા ભરવાના સીડીએમ મશીન સેવાઓના મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરના પશ્ચિમ વિસ્તારના નવા વાડજ, રાણીપ, સુભાષ બ્રિજ, બલોલ નગર અને ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલા એટીએમ મોટેભાગે ઓફ લાઈનમાં હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે સીડીએમ એટલે કે પૈસા ભરવાના મશીન એ પણ મોટેભાગે બંધ હાલતમાં જોવા મળ્યા હતા. એક તરફ બેન્કોમાં ભારે ધસારો હોવાને કારણે અને સમયની બચત થાય તો કેટલાંક ઈમરજન્સીમાં પૈસાની લેવડ દેવડ ડીજીટલ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા ઈચ્છે છે પરંતુ એસબીઆઈના એટીએમ અને સીડીએમ સેવા ખોટકાતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.

આ બાબતે મિર્ચી ન્યુઝની ટીમે રિયાલિટી ચેક કરતા નવા વાડજ એસબીઆઈ પાસે આવેલ એટીએમ કુલ બે એટીએમ માંથી એક એટીએમ બંધ અને એક સીડીએમ જે એક મહિનાથી વધુ બંધ હાલતમાં હતું જે હાલમાં ત્યાંથી ખસેડીને લઈ જવામાં આવેલ છે જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે નવું મશીન આવશે પરંતુ ક્યારે આવશે એનો કોઈ સમય ગાળો નિશ્ચિત નથી.

ત્યારબાદ બલોલનગર ચાર રસ્તા ખાતે આવેલ એસબીઆઈ ગેલેરીની મુલાકાત લેતા કુલ પાંચ મશીનમાંથી સીડીએમ બંધ હાલતમાં જોવા મળ્યા જ્યારે એક એટીએમ મશીન ચાલુ કન્ડિશનમાં જોવા મળ્યું હતું.ત્યારબાદ રાણીપ શાક માર્કેટમાં આવેલ સ્ટેટ બેંકની બાજુમાં આવેલ એટીએમની મુલાકાત લીધી, જેમાં શટલ નીચું કરેલું જોવા મળ્યું હતું. બાર બેઠેલા વ્યક્તિ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું. સીડીએમમાં પૈસા ભરવાને લીધે નોટ ફસાઈ જવાને લીધે સીડીએમ બંધ થયું છે જયારે એટીએમ તો સવારનું બંધ છે.

ત્યારબાદ ટીમે સુભાષબ્રિજ ખાતે આવેલ એસબીઆઈની મુલાકાત લેતા કુલ પાંચ મશીનમાંથી એક મશીન ચાલુ કન્ડિશનમાં અને એક સીડીએમ બંધ હાલતમાં જોવા મળ્યું હતું ત્યારબાદ ટીમે ત્યાંથી આગળ ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલ સ્ટેટ બેન્કની ગેલેરીની મુલાકાત લીધી, ત્યાં એક સીડીએમ ચાલુ જોવા મળ્યું પરંતુ પાંચ એટીએમ માંથી ચાર એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા.

આમ મિર્ચી ન્યૂઝની રિઆલિટી ચેકમાં એસબીઆઈના એટીએમ અને સીડીએમ સેવાઓની ખૂબ કફોડી હાલતમાં જોવા મળી, ખાનગી બેન્કની સરખામણીમાં ઉત્તમ સેવાો આપવાની જગ્યાએ એસબીઆઈ બેન્ક પોતાના ગ્રાહકોને અન્ય એટીએમનો ઉપયોગ કરવા અને તેનો ચાર્જ વસુલતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત મોટા ભાગના મશીનો વર્ષો જુના જમાના હોઈ જેને કારણે વારંવાર ખોટકાઈ રહ્યા છે એવી પણ ફરિયાદ ઉઠી રહી છે.

એક બાજુ એસબીઆઈ મોટી મોટી વાતો કરીને તમારી આસપાસ કોઈ એટીએમ બંધ હોય તો ફલાણા નંબર મેસેજ કરો, ઓનલાઈન જઈ ફરિયાદ કરો અથવા અભણ હોવ તો નજીકની બ્રાન્ચમાં ફક્ત ફોર્મ જ ભરવાનું છે…જેવી પોકળ વાતો કરવાનું છોડી એસબીઆઈ બેન્ક દ્વારા પોતાના એટીએમ અને સીડીએમ મશીનો તાત્કાલિક કાર્યરત કરવા જોઈએ એવી લોકમાંગણી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...