Thursday, March 12, 2026

અમદાવાદમાં જર્જરીત ફલેટ તોડવા જતા બાજુના બે ફલેટની દિવાલ ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

spot_img
Share

અમદાવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં બિલ્ડીંગનો એક હિસ્સો ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો હતો. બોડકદેવ વોર્ડમાં આવેલા જર્જરીત સગુન એપાર્ટમેન્ટને તોડવા જતા બાજુમા આવેલ ગુરુકૃપા એપાર્ટમેન્ટના બે ફલેટની દિવાલ ધરાશાયી થતા ફલેટમાં રહેતા રહીશોમા ભારે ભયની લાગણી જોવા મળી હતી.જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાજ ફાયરબ્રિગેડનો કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘટના અંગે ગુરુકૃપા ફલેટના રહીશના કહેવા મુજબ, સગુન-1 અને 2ની વચ્ચે તેમનુ ગુરુકૃપા એપાર્ટમેન્ટ આવેલ છે. વર્ષ-2001 માં આવેલા ભૂકંપ સમયથી સગુન-1 અને 2 જર્જરીત હાલતમાં હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક નોટિસ આપ્યા પછી પણ તેને તોડવામા આવતા નહતા. શનિવારે બપોર પછી જે.સી.બી.ની મદદથી માટીનુ મકાન તોડતા હોય તેમ જર્જરીત સગુન એપાર્ટમેન્ટ તોડવાનુ શરુ કરાયુ હતુ.કોઈ પણ જાતના પ્રીકોશન વગર એપાર્ટમેન્ટ તોડવાની શરુઆત કરાતા અમારો ગુરુકૃપા એપાર્ટમેન્ટ આખો હાલી ગયો હતો.જાણે હમણાં અમારો ફલેટ તૂટી પડશે એમ લાગતુ હતુ. ગુરુકૃપા એપાર્ટમેન્ટના બે ફલેટની સાઈડની દિવાલો ધરાશાયી થઈ હતી. ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં હાલ સો રહીશો વસવાટ કરી રહયા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી.

સારી વાત એ રહી કે જર્જરીત હોવાને કારણે બિલ્ડિંગ સંપૂર્ણ ખાલી હતું અને એકપણ વ્યક્તિ તેમાં નહોતી. સગુન-1 અને 2 બિલ્ડિંગનું રિ ડેવલપમેન્ટ ચાલી રહ્યું હતું. ડિમોલેશન કરતા સામે બાજુના એપાર્ટમેન્ટ પર કાટમાળ પડ્યો અને ગુરુકૃપા એપાર્ટમેન્ટને નુકશાન થયું. બિલ્ડીંગ જર્જરીત થતાં તોડવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના ઘટી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...