Sunday, September 14, 2025

અમદાવાદમાં જર્જરીત ફલેટ તોડવા જતા બાજુના બે ફલેટની દિવાલ ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

Share

Share

અમદાવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં બિલ્ડીંગનો એક હિસ્સો ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો હતો. બોડકદેવ વોર્ડમાં આવેલા જર્જરીત સગુન એપાર્ટમેન્ટને તોડવા જતા બાજુમા આવેલ ગુરુકૃપા એપાર્ટમેન્ટના બે ફલેટની દિવાલ ધરાશાયી થતા ફલેટમાં રહેતા રહીશોમા ભારે ભયની લાગણી જોવા મળી હતી.જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાજ ફાયરબ્રિગેડનો કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘટના અંગે ગુરુકૃપા ફલેટના રહીશના કહેવા મુજબ, સગુન-1 અને 2ની વચ્ચે તેમનુ ગુરુકૃપા એપાર્ટમેન્ટ આવેલ છે. વર્ષ-2001 માં આવેલા ભૂકંપ સમયથી સગુન-1 અને 2 જર્જરીત હાલતમાં હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક નોટિસ આપ્યા પછી પણ તેને તોડવામા આવતા નહતા. શનિવારે બપોર પછી જે.સી.બી.ની મદદથી માટીનુ મકાન તોડતા હોય તેમ જર્જરીત સગુન એપાર્ટમેન્ટ તોડવાનુ શરુ કરાયુ હતુ.કોઈ પણ જાતના પ્રીકોશન વગર એપાર્ટમેન્ટ તોડવાની શરુઆત કરાતા અમારો ગુરુકૃપા એપાર્ટમેન્ટ આખો હાલી ગયો હતો.જાણે હમણાં અમારો ફલેટ તૂટી પડશે એમ લાગતુ હતુ. ગુરુકૃપા એપાર્ટમેન્ટના બે ફલેટની સાઈડની દિવાલો ધરાશાયી થઈ હતી. ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં હાલ સો રહીશો વસવાટ કરી રહયા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી.

સારી વાત એ રહી કે જર્જરીત હોવાને કારણે બિલ્ડિંગ સંપૂર્ણ ખાલી હતું અને એકપણ વ્યક્તિ તેમાં નહોતી. સગુન-1 અને 2 બિલ્ડિંગનું રિ ડેવલપમેન્ટ ચાલી રહ્યું હતું. ડિમોલેશન કરતા સામે બાજુના એપાર્ટમેન્ટ પર કાટમાળ પડ્યો અને ગુરુકૃપા એપાર્ટમેન્ટને નુકશાન થયું. બિલ્ડીંગ જર્જરીત થતાં તોડવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના ઘટી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...