Tuesday, January 20, 2026

અમદાવાદમાં પોલીસની નવતર પહેલ, હવે હેલ્મેટ નહીં પહેરો તો પોલીસ મેમો નહીં પણ હેલ્મેટ આપશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પોલીસે નવતર પહેલ કરી છે. હેલ્મેટ પહેર્યા વગરના લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરીને તેને પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા.અમદાવાદમાં પોલીસ દ્વારા લોકોને દંડ આપવાને બદલે હેલમેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર હેલમેટ નહીં પહેરનાર લોકોને પોલીસ હેલમેટ વિતરણ કરી રહી છે. લોકોમાં હેલમેટ પ્રત્યે જાગૃતિ આવે અને હેલમેટ પહેરવાના ફાયદા સમજાવવા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ પોલીસે હેલમેટ વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુર બ્રિજથી અમદુપુરા થઈને મેમ્કો ચાર રસ્તા સુધી ઝોન 3 ડીસીપીની આગેવાનીમાં પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ કર્મચારીએ હેલ્મેટ પહેરી હતી. બાઈક રેલીની સાથે સ્લોગન લખેલા પ્લે કાર્ડ પણ બતાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મેમ્કો ચાર રસ્તા પાસે હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા લોકોને રોકીને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 100 જેટલા લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરાયું હતું. લોકોએ હેલ્મેટ નહીં પહેરવા બદલ વિવિધ કારણો બતાવ્યા હતા. જેથી તમામ લોકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ટ્રાફિકના નિયમોની અવરેનસ માટે એક ડ્રાઈવનું આયોજન કરાયું હતું. લોકો હેલ્મેટ પહેરવા પ્રેરિત થાય તે માટે આ રેલી યોજાઈ હતી. અકસ્માતના ઘણા કેસમાં ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેર્યું નથી હોતું. લોકો હેલ્મેટ પહેરતા થાય તે માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું.

થોડા દિવસ પહેલા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજકોટમાં થયેલા વિરોધ બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોકોને હેલ્મેટ પહેરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારને આ કાયદા પર ફરીથી વિચારણા કરવા વિનંતી કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...