Saturday, September 13, 2025

અમદાવાદમાં પોલીસની નવતર પહેલ, હવે હેલ્મેટ નહીં પહેરો તો પોલીસ મેમો નહીં પણ હેલ્મેટ આપશે

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં પોલીસે નવતર પહેલ કરી છે. હેલ્મેટ પહેર્યા વગરના લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરીને તેને પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા.અમદાવાદમાં પોલીસ દ્વારા લોકોને દંડ આપવાને બદલે હેલમેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર હેલમેટ નહીં પહેરનાર લોકોને પોલીસ હેલમેટ વિતરણ કરી રહી છે. લોકોમાં હેલમેટ પ્રત્યે જાગૃતિ આવે અને હેલમેટ પહેરવાના ફાયદા સમજાવવા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ પોલીસે હેલમેટ વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુર બ્રિજથી અમદુપુરા થઈને મેમ્કો ચાર રસ્તા સુધી ઝોન 3 ડીસીપીની આગેવાનીમાં પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ કર્મચારીએ હેલ્મેટ પહેરી હતી. બાઈક રેલીની સાથે સ્લોગન લખેલા પ્લે કાર્ડ પણ બતાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મેમ્કો ચાર રસ્તા પાસે હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા લોકોને રોકીને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 100 જેટલા લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરાયું હતું. લોકોએ હેલ્મેટ નહીં પહેરવા બદલ વિવિધ કારણો બતાવ્યા હતા. જેથી તમામ લોકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ટ્રાફિકના નિયમોની અવરેનસ માટે એક ડ્રાઈવનું આયોજન કરાયું હતું. લોકો હેલ્મેટ પહેરવા પ્રેરિત થાય તે માટે આ રેલી યોજાઈ હતી. અકસ્માતના ઘણા કેસમાં ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેર્યું નથી હોતું. લોકો હેલ્મેટ પહેરતા થાય તે માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું.

થોડા દિવસ પહેલા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજકોટમાં થયેલા વિરોધ બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોકોને હેલ્મેટ પહેરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારને આ કાયદા પર ફરીથી વિચારણા કરવા વિનંતી કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...