Wednesday, February 11, 2026

AMC દ્વારા મહત્વના નિર્ણયો : ધુળેટીના તહેવાર નિમિત્તે સાંજે અડધો કલાક વધુ પાણી અપાશે, મ્યુનિ.સંચાલિત હોલ 50 ટકા ભાડામાં મળશે

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા બુધવારના રોજ ધુળેટીના તહેવાર નિમિત્તે સવારે રાબેતા મુજબ બે કલાકના પાણી પુરવઠા ઉપરાંત સાંજે 5.30થી 6 વાગ્યા સુધી અડધો કલાક સુધી વધુ પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે શહેરના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનો પરથી પાણીનો સ્પેશિયલ સપ્લાય પૂરો પાડવામાં આવશે. વોટર ડીસ્ટ્રીબ્યુશ સ્ટેશનો ખાતેથી ઉપલબ્ધ પાણીના જથ્થાને આધારે અડધા કલાક માટે વધારાનો પાણી સપ્લાય પૂરો પાડવામાં આવશે.

આ ઉપરાંત AMC સંચાલિત હોલ પણ હવે સ્લોટ પ્રમાણે બુકિંગ કરાવી શકાશે, બર્થડે પાર્ટી, કિટી પાર્ટી કે પછી કેટલીક કંપનીઓ કોર્પોરેટ મીટિંગ માટે ચોક્કસ કલાકો માટે પણ કોમ્યુનિટી હોલ ભાડે લઇ શકાશે. જે પ્લોટના ભાડાં કરતાં 50 ટકા ભાડામાં આ હોલ બુક થઇ શકશે.હવે મ્યુનિ.ના હોલ,બર્થડે પાર્ટી, પ્રદર્શન, પેન્શનરોની બેઠક, કોર્પોરેટ મીટિંગ, કિટી પાર્ટી, સામાજિક મિટિંગ વિગેરે હેતુ માટે મર્યાદિત સમય માટે ભાડે મળશે.

જેના પરિણામે નાગરિકોને સવારથી બપોર સુધી કે સાંજ પછી AMC પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ બુક કરાવી શકશે. બર્થ ડે પાર્ટી જેવા નાના પ્રસંગો માટે આખો દિવસ પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલનું બુકિંગ કરાવવાની જરૂર પડશે નહીં અને મર્યાદિત સમય માટે ઓછું ભાડું ખર્ચીને નાગરિકો પોતાના પ્રસંગો ઉજવી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...