30.3 C
Gujarat
Thursday, May 15, 2025

કોરોના કેસોમાં ભારે ઉછાળો, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 402 કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા ?

Share

અમદાવાદ : આજે ફરી કોરોના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 402 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 219 કેસ નોંધાયા છે. જ્યારે 162 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક દર્દી અને કચ્છમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. છેલ્લા 4 દિવસમાં 3 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ. મહત્વનું છે કે, બે દિવસમાં જ 153 ટકા નવા કોરોનાના કેસમાં વધારો થયો છે.

છેલ્લાં 15 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં પંદરેક દિવસના સમયગાળામાં કોરોનાના કારણે ચાર મોત બાદ અમદાવાદમાં એક દર્દી અને કચ્છમાં એક દર્દીનું મોત નીપજ્યું છે.છેલ્લા 4 દિવસમાં 3 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે.કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે

ક્યાં કેટલા નવા કેસ નોંધાયા?
અમદાવાદ કોર્પોરેશન – 219
રાજકોટ – 28
સુરત કોર્પોરેશન – 25
મોરબી – 18
અમરેલી – 15
મહેસાણા – 12
રાજકોટ – 12
વડોદરા કોર્પોરેશન – 12
વડોદરા – 11
સાબરકાંઠા – 9
સુરત – 7
ગાંધીનગર કોર્પોરેશ – 6
વલસાડ – 5
ભરૂચ – 3
જામનગર કોર્પોરેશન – 3
નવસારી – 3
આણંદ – 2
ભાવનગર કોર્પોરેશન – 2
ગાંધીનગર – 2
અમદાવાદ – 1
બનાસકાંઠા – 1
ભાવનગર – 1
દાહોદ – 1
ગીર-સોમનાથ – 1
કચ્છ – 1
પંચમહાલ – 1
પોરબંદર – 1

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles