Wednesday, January 21, 2026

અમદાવાદ પોલીસે શરૂ કર્યું ફુટ પેટ્રોલિંગ, રથયાત્રાને દોઢ મહિનાથી વધુ સમય બાકી છે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દર વર્ષે અષાઢી બીજના શુભ દિને પરંપરાગતરીતે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. વૈશાખ અડધો પૂર્ણ થવા આવ્યો છે. એટલે અષાઢી બીજના પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મળતા રિપોર્ટ મુજબ રથયાત્રા દરમિયાન પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આગોતરૂ આયોજન કર્યું છે. શહેરની પોલીસે દોઢેક મહિના પહેલાથી કામગીરી જ શરૂ કરી દીધી છે. એકાદ બે દિવસ બાદથી શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં જોઇન્ટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મોટી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાશે. જેમાં ખાડિયા, કાલુપુર અને ગાયકવાડ હવેલી વિસ્તારમાં ઝોન-3 ડીસીપીની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી જતી હોય છે ત્યારે આ વખતે રથયાત્રા પહેલાં IPL મેચ હોવાથી પોલીસ તમામ જગ્યાએ કચાશ રાખવા માગતી નથી. IPL ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ રહી છે, જે માટે પણ અમદાવાદ પોલીસની સેક્ટર-1ની અને તેમાંય ખાસ ઝોન-2ની પોલીસ બંદોબસ્તમાં રાખવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી રથયાત્રાનું તમામ પ્રકારનું કાગળ પરનું પ્લાનીંગ કરી દેવાયું છે. પોલીસે શાહપુર, ગાયકવાડ હવેલી, કારંજ, દરિયાપુર, ખાડિયા એવા રૂટ પરના રોડ પર ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...