Friday, January 16, 2026

નવા વાડજની આ હોસ્પિટલમાં 78 દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રહ્યા બાદ વ્હીલચેરમાં જ બોર્ડની પરીક્ષા પાસ કરનાર યશ્વી પટેલ

spot_img
Share

(માનવ જોશી દ્વારા) અમદાવાદ : જીવતરની સફરમાં અબાલ હોય કે વૃદ્ધ દરેકને કોઈને કોઈ પરિસ્થિતિમાં કપરી કસોટીનો સામનો કરવો પડે છે.આવી જ એક કસોટીમાં પોતાના શરીરની મર્યાદાઓ વીસરી જઈને પોતાના દ્રઢ મનોબળ થકી સફળતા પ્રાપ્ત કરનાર એક દીકરીની વાત કરવી છે.

વડોદરાની યશ્વી પટેલ કે જે મધ્યમ વર્ગ પરિવારની એકની એક દીકરી કે જેને 2021 માં ગુલીયન બેરી સીનડ્રોમ (G.B.S.), સરળ ભાષામાં પેરાલીસીસની ગંભીર બીમારીએ પોતાના ભરડામાં લીધી. આ બીમારીને કારણે 2022 કે બોર્ડની પરીક્ષા આપી ન શકી. એક તો સાયન્સ સ્ટ્રીમ, તેમાં ગંભીર બીમારી અને છતાં પરીક્ષા આપવાની ધગશ !! નવા વાડજમાં શિવાલિક સ્કવેરમાં આવેલ સ્નેહ હોસ્પિટલમાં 78 દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રહ્યા બાદ યશવીની તબિયતમાં સુધારો થયો. આમ 19 માસની આકરી સારવાર દરમિયાન તેના મસ્તિષ્કમાં સતત એક જ નિર્ધાર રહ્યો કે મારે કોઈપણ ભોગે બોર્ડની પરીક્ષામાં બેસી સારામાં સારા ગુણ મેળવવા છે અને મારા માતા-પિતાને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે એ માટે મારા પોતાના પગ પર ઊભા થવું છે.

જ્યારે માણસનો નક્કી કરેલ ધ્યેય અડગ અને અચલ હોય ત્યારે મેરુ પર્વત પણ તેની સામે ડગી જાય એ સ્વાભાવિક છે. 19 માસની સારવાર પછી વ્હીલચેરમાં બેસીને 2023 માં બોર્ડની પરીક્ષામાં તેણે બધા પેપર આપ્યા અને આ વર્ષે જ્યારે ખૂબ ઓછું પરિણામ આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓ નપાસ થયા છે, ત્યારે યશ્વી પટેલે 50 ટકા ગુણ મેળવીને પહેલા જ ટ્રાયલે ધોરણ 12 સાયન્સ પાસ કર્યું છે. I.T. ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માગતી યશ્વી પોતાના આવનાર ભવિષ્યને પોતાની મહેનત અને લગનથી ચોક્કસ ઉજ્જવળ બનાવશે તેમ તેના માતા પિતાનું દ્રઢ પણે માનવું છે.

વડોદરામાં હરની એરપોર્ટ પર રહેતા અને ટીવી રીપેરીંગ નું કામ કરતા યશ્વીના પિતા અને ગૃહિણી એવા તેમની માતાની આંખમાં પોતાની દીકરી માટે એક ગજબનો આત્મવિશ્વાસ તરવરે છે. તેમના પિતાનું કહેવું છે કે ભલે આજે પણ મારી દીકરી વ્હીલચેરમાં બેઠી છે અને તેના સાજા થવા માટે ડોક્ટરો પણ સ્પષ્ટ નથી ત્યારે અમારા આશીર્વાદ તથા સર્વેની શુભેચ્છાઓ થકી મારી દીકરી ચોક્કસ એક દિવસ સફળતાના શિખર પોતાના પગે ચાલીને નહીં પણ દોડીને પાર કરશે. કેમ કે જ્યારે કોઈ આશા બાકી ન હોય ત્યારે એક પંક્તિ હમેશાં હૃદયમાં ગૂંજે છે…
” જિસકા કોઈ નહીં ઉસકા તો, ખુદા હૈ યારો”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...