Monday, September 15, 2025

નવા વાડજની આ હોસ્પિટલમાં 78 દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રહ્યા બાદ વ્હીલચેરમાં જ બોર્ડની પરીક્ષા પાસ કરનાર યશ્વી પટેલ

Share

Share

(માનવ જોશી દ્વારા) અમદાવાદ : જીવતરની સફરમાં અબાલ હોય કે વૃદ્ધ દરેકને કોઈને કોઈ પરિસ્થિતિમાં કપરી કસોટીનો સામનો કરવો પડે છે.આવી જ એક કસોટીમાં પોતાના શરીરની મર્યાદાઓ વીસરી જઈને પોતાના દ્રઢ મનોબળ થકી સફળતા પ્રાપ્ત કરનાર એક દીકરીની વાત કરવી છે.

વડોદરાની યશ્વી પટેલ કે જે મધ્યમ વર્ગ પરિવારની એકની એક દીકરી કે જેને 2021 માં ગુલીયન બેરી સીનડ્રોમ (G.B.S.), સરળ ભાષામાં પેરાલીસીસની ગંભીર બીમારીએ પોતાના ભરડામાં લીધી. આ બીમારીને કારણે 2022 કે બોર્ડની પરીક્ષા આપી ન શકી. એક તો સાયન્સ સ્ટ્રીમ, તેમાં ગંભીર બીમારી અને છતાં પરીક્ષા આપવાની ધગશ !! નવા વાડજમાં શિવાલિક સ્કવેરમાં આવેલ સ્નેહ હોસ્પિટલમાં 78 દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રહ્યા બાદ યશવીની તબિયતમાં સુધારો થયો. આમ 19 માસની આકરી સારવાર દરમિયાન તેના મસ્તિષ્કમાં સતત એક જ નિર્ધાર રહ્યો કે મારે કોઈપણ ભોગે બોર્ડની પરીક્ષામાં બેસી સારામાં સારા ગુણ મેળવવા છે અને મારા માતા-પિતાને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે એ માટે મારા પોતાના પગ પર ઊભા થવું છે.

જ્યારે માણસનો નક્કી કરેલ ધ્યેય અડગ અને અચલ હોય ત્યારે મેરુ પર્વત પણ તેની સામે ડગી જાય એ સ્વાભાવિક છે. 19 માસની સારવાર પછી વ્હીલચેરમાં બેસીને 2023 માં બોર્ડની પરીક્ષામાં તેણે બધા પેપર આપ્યા અને આ વર્ષે જ્યારે ખૂબ ઓછું પરિણામ આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓ નપાસ થયા છે, ત્યારે યશ્વી પટેલે 50 ટકા ગુણ મેળવીને પહેલા જ ટ્રાયલે ધોરણ 12 સાયન્સ પાસ કર્યું છે. I.T. ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માગતી યશ્વી પોતાના આવનાર ભવિષ્યને પોતાની મહેનત અને લગનથી ચોક્કસ ઉજ્જવળ બનાવશે તેમ તેના માતા પિતાનું દ્રઢ પણે માનવું છે.

વડોદરામાં હરની એરપોર્ટ પર રહેતા અને ટીવી રીપેરીંગ નું કામ કરતા યશ્વીના પિતા અને ગૃહિણી એવા તેમની માતાની આંખમાં પોતાની દીકરી માટે એક ગજબનો આત્મવિશ્વાસ તરવરે છે. તેમના પિતાનું કહેવું છે કે ભલે આજે પણ મારી દીકરી વ્હીલચેરમાં બેઠી છે અને તેના સાજા થવા માટે ડોક્ટરો પણ સ્પષ્ટ નથી ત્યારે અમારા આશીર્વાદ તથા સર્વેની શુભેચ્છાઓ થકી મારી દીકરી ચોક્કસ એક દિવસ સફળતાના શિખર પોતાના પગે ચાલીને નહીં પણ દોડીને પાર કરશે. કેમ કે જ્યારે કોઈ આશા બાકી ન હોય ત્યારે એક પંક્તિ હમેશાં હૃદયમાં ગૂંજે છે…
” જિસકા કોઈ નહીં ઉસકા તો, ખુદા હૈ યારો”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...