Sunday, January 25, 2026

અમદાવાદની ઉર્મિલા વૈષ્ણવની પ્રેરણાત્મક સ્ટોરી, પ્રસુતિનાં 10માં દિવસે MScની યુનિ.પરીક્ષા આપવાની તૈયારી

spot_img
Share

અમદાવાદ : લગ્ન પછી યુવતીઓના જીવનમાં ઘણા ફેરફારો આવે છે અને એમાંય ખાસ કરીને પ્રેગ્નન્સીથી લઈને બાળકના જન્મ પછી તો તેમને અનેક નાની મોટી ચેલેન્જોનો સામનો કરવો પડે છે. આ પડકારોથી પરેશાન થઈને મોટાભાગની યુવતીઓ પોતાનું કરિયર અધવચ્ચે છોડી દે છે. પરંતુ ઘણી યુવતીઓ એવી હોય છે કે જેઓ અનેક પડકારો વચ્ચે પણ પોતાના કાર્ય ઉપરથી ધ્યાન ભટકાવતી નથી. આવી જ એક પ્રેરણાત્મક કહાની અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી ઉર્મિલા વૈષ્ણવની છે, જેણે જીવનની દરેક મુશ્કેલીઓને પાર કરીને એક ફાર્મા કંપનીમાં પોતાનું કેરિયર બનાવવાનું સપનું પૂરું કરવા જઈ રહી છે…

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી ઉર્મિલા વૈષ્ણવ રાજસ્થાનના એક મધ્યમ વર્ગના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેણીનો જન્મ અને ઉછેર રાજસ્થાનમાં થયો હતો. ધો-10 અને ધો-12 પાસ કર્યા પછી, રાજસ્થાનમાંથી BSc ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ લીધી., લગ્ન બાદ અમદાવાદ શિફ્ટ થઇ હતી. નાનપણથી ભણવામાં હોશિયાર એવી આ યુવતીને જયારે લગ્ન પછી અમદાવાદમાં આવીને સાસરીપક્ષ હંમેશા ઉર્મિલાને તેના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત અને ટેકો આપે છે. લગ્ન પછી પતિ અને સાસરી પક્ષના લોકોનો સાથ મળ્યો ઉર્મિલાએ અભ્યાસ ચાલુ રાખ્યો. આગળ અભ્યાસ માટે અમદાવાદની કોલેજમાં MSc (કેમેસ્ટ્રી) એડમિશન લઇ અભ્યાસ શરૂ કર્યો.આ દરમ્યાન ઉર્મિલા વૈષ્ણવને પ્રેગનન્સી રહેતા નવા વાડજમાં આવેલ જીગીષા હોસ્પિટલમાં આવ્યા અને ડો. જીગીષાબેન શાહનો સંપર્ક કર્યો.

હવે આગળની વાત જાણીશું ડો.જીગીષાબેન શાહના શબ્દોમાં…નવા વાડજમાં શિવાલિક સ્કવેર ખાતે આવેલ જીગીષા હોસ્પિટલના ડો. જીગીષાબેન શાહ જણાવે છે કે મન હોય તો માળવે જવાય આવી કહેવત આપણે સાંભળી ચૂક્યા છે અમારી ત્યાં બતાવવા આવતી પેશન્ટ ઉર્મિલા વૈષ્ણવ, જ્યારે એને પ્રેગનેન્સી રહી તો એને દ્વિધામાં હતી કે હું પ્રેગ્નન્સી રાખું કે ના રાખું, કારણ પૂછ્યું તેણે કહ્યું કે મારે માટે અત્યારે ભણવાનું મહત્વનું છે અને જો હું અત્યારે પ્રેગ્નન્સી રાખું તો બરોબર મારા ડિલિવરીના સમયે જ યુનિવર્સિટીની અને પ્રિલીમની પરીક્ષા આવશે અને છોકરી ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતી હોય આજુબાજુ ઘરમાં કોઈ ભણતર ના હોય, સાસરી પક્ષમાં પણ બીજું કોઈ ભણતર વાળું ના હોય, પાંચ ચોપડી ભણેલ સાસુ જોડે અને જયારે એ બધાનો એક જ અવાજ હતો કે અમારા માટે તો આનું ભણવાનું બહુ મહત્વનું છે.

ડો. જીગીષાબેન શાહ વધુમાં જણાવે છે કે આ સાંભળી મને બહુ આનંદ થયો કે ખરેખર આપણો સમાજ બહુ આગળ વધી રહ્યો છે કે હવે લોકો ભણતરની પણ કિંમત કરવા માંગે છે.ત્યારે એક ડોક્ટર તરીકે એમને સમજાયા કે ચાલો આપણે બંને કરીએ બાળક પણ રાખીએ અને ભણવાનું પણ ધ્યાન રાખીશું. જો ડોક્ટર અને પરિવાર તરીકે આપણે સૌ સપોર્ટ કરીશું તો બંને કામ સચવાશે અને કે બંને કામમાંથી એકપણ કામ ના બગડે એનું ભણવાનું ના બગડે અને બાળક પણ ના બગડે. સમય ગયો કુદરતનો સાથઆ અને ભગવાનનો સાથ પણ મળ્યો. ગત સપ્તાહે પ્રેગનન્સી દરમ્યાન જ ઉર્મિલાએ પોતાની કોલેજની પ્રિલીમની પરીક્ષા આપી. MSc કેમેસ્ટ્રી જેવા વિષયની અંદર 92% લાવીને એની પોતાની કોલેજમાં અગ્રેસર રહી પરિવારનું નામ રોશન કર્યું છે.

હવે ફરીથી યુનિવર્સિટી ફાઇનલ પરીક્ષા 18મી મેથી શરૂ થઇ રહી છે અને પહેલા ડિલિવરી થશે કે નહીં અને આજે એટલે 8 મે ના રોજ ઉર્મિલા ડિલિવરીના પેઈન સાથે આવી. ડો. જીગીષાબેન શાહ વધુમાં કહે છે કે શરૂઆતમાં થોડોક કેસ મુશ્કેલ હતો, પરંતુ કુદરતનો સાથ મળ્યો, સરસ મજાની નોર્મલ ડીલેવરી થઇ હતી અને સુંદર બાળકને જન્મ આપ્યો હતો. આ સમયે તેના ચહેરા પર પ્રસૂતિ પછીની પીડાની સાથોસાથ પરીક્ષા આપવાનો જુસ્સો પણ દેખાઇ રહ્યો હતો. હવે ઉર્મિલાએ અને પરિવારે મન મક્કમ કરી લીધું છે કે 18મી મેથી શરૂ થતી પરીક્ષા સરસ રીતે આપી શકશે. ત્યારે અમારી બધાની શુભેચ્છાઓ છે કે જેણે પ્રિલિમમાં બહુ જ સારું પરિણામ લાવ્યું એવું જ પરિણામ યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષામાં લાવે એવી શુભેચ્છાઓ…

છેલ્લે ડો. જીગીષાબેન શાહ મિર્ચી ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવે છે કે ઉર્મિલા વૈષ્ણવ સમાજમાં એક ઉદાહણ બનશે, એમાંય ખાસ કરીને અન્ય સગર્ભા મહિલા વિધાર્થીઓ માટે…ઉર્મિલા વૈષ્ણવએ હિંમત દાખવી ઇચ્છાશકિતનું અદભુત ઉદાહરણ પૂરું પાડી મહિલા સશક્તિકરણને સાર્થક કર્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...