Thursday, March 5, 2026

આનંદનગરમાં નશીલા પદાર્થનું સેવન કરી બેફામ કાર હંકારનાર ઝડપાયો, 3ને અડફેટે લીધા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગઈકાલે એક વોલ્વો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને ત્રણ ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધા હતા. જેમાં વાહનચાલકોને ઈજા પણ પહોંચી હતી.બનાવ બાદ પોલીસ સ્થળ પર પહોંચીને આરોપીને ઇજા થઈ હોવાથી હોસ્પિટલ લઈ ગઈ હતી .જ્યાં કારચાલક આરોપી સારવાર લીધા વિના જ ફરાર થઈ ગયો હતો, જેની આજે પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આનંદનગર રોડ પર ગઈકાલે વોલ્વો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને આસપાસના લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.પોલીસ કારચાલક નિહાલ પટેલને ઇજા થયો હોવાથી 108 દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં સારવાર લીધા વિના જ તે નાસી ગયો હતો.

ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ કરતા વોલ્વો ઘોડાસર વિસ્તારના રહેતા વ્યક્તિની હતી.પરંતુ ત્યાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઘોડાસરના વ્યક્તિએ આ કાર માણેકબાગમાં રહેતા નિહાલ પટેલને વેચી હતી. જેથી પોલીસ નિહાલ પટેલના માણેકબાગનું સરનામું મેળવી નિહારના ઘરે પહોંચી હતી. જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, નિહાલ પટેલે કાર ખરીદ્યા બાદ તેનું આરટીઓમાં રજીસ્ટર કરાવ્યું ન હતું. ગઈકાલે અકસ્માત કર્યો તે દરમિયાન પણ તેણે નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું. હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા બાદ ધરપકડથી બચવા નિહાલ ઘરે જતો રહ્યો હતો. જો કે હવે પોલીસે નિહાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...