Wednesday, January 21, 2026

આનંદનગરમાં નશીલા પદાર્થનું સેવન કરી બેફામ કાર હંકારનાર ઝડપાયો, 3ને અડફેટે લીધા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગઈકાલે એક વોલ્વો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને ત્રણ ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધા હતા. જેમાં વાહનચાલકોને ઈજા પણ પહોંચી હતી.બનાવ બાદ પોલીસ સ્થળ પર પહોંચીને આરોપીને ઇજા થઈ હોવાથી હોસ્પિટલ લઈ ગઈ હતી .જ્યાં કારચાલક આરોપી સારવાર લીધા વિના જ ફરાર થઈ ગયો હતો, જેની આજે પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આનંદનગર રોડ પર ગઈકાલે વોલ્વો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને આસપાસના લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.પોલીસ કારચાલક નિહાલ પટેલને ઇજા થયો હોવાથી 108 દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં સારવાર લીધા વિના જ તે નાસી ગયો હતો.

ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ કરતા વોલ્વો ઘોડાસર વિસ્તારના રહેતા વ્યક્તિની હતી.પરંતુ ત્યાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઘોડાસરના વ્યક્તિએ આ કાર માણેકબાગમાં રહેતા નિહાલ પટેલને વેચી હતી. જેથી પોલીસ નિહાલ પટેલના માણેકબાગનું સરનામું મેળવી નિહારના ઘરે પહોંચી હતી. જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, નિહાલ પટેલે કાર ખરીદ્યા બાદ તેનું આરટીઓમાં રજીસ્ટર કરાવ્યું ન હતું. ગઈકાલે અકસ્માત કર્યો તે દરમિયાન પણ તેણે નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું. હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા બાદ ધરપકડથી બચવા નિહાલ ઘરે જતો રહ્યો હતો. જો કે હવે પોલીસે નિહાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...