Wednesday, September 17, 2025

આનંદનગરમાં નશીલા પદાર્થનું સેવન કરી બેફામ કાર હંકારનાર ઝડપાયો, 3ને અડફેટે લીધા

Share

Share

અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગઈકાલે એક વોલ્વો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને ત્રણ ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધા હતા. જેમાં વાહનચાલકોને ઈજા પણ પહોંચી હતી.બનાવ બાદ પોલીસ સ્થળ પર પહોંચીને આરોપીને ઇજા થઈ હોવાથી હોસ્પિટલ લઈ ગઈ હતી .જ્યાં કારચાલક આરોપી સારવાર લીધા વિના જ ફરાર થઈ ગયો હતો, જેની આજે પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આનંદનગર રોડ પર ગઈકાલે વોલ્વો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને આસપાસના લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.પોલીસ કારચાલક નિહાલ પટેલને ઇજા થયો હોવાથી 108 દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં સારવાર લીધા વિના જ તે નાસી ગયો હતો.

ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ કરતા વોલ્વો ઘોડાસર વિસ્તારના રહેતા વ્યક્તિની હતી.પરંતુ ત્યાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઘોડાસરના વ્યક્તિએ આ કાર માણેકબાગમાં રહેતા નિહાલ પટેલને વેચી હતી. જેથી પોલીસ નિહાલ પટેલના માણેકબાગનું સરનામું મેળવી નિહારના ઘરે પહોંચી હતી. જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, નિહાલ પટેલે કાર ખરીદ્યા બાદ તેનું આરટીઓમાં રજીસ્ટર કરાવ્યું ન હતું. ગઈકાલે અકસ્માત કર્યો તે દરમિયાન પણ તેણે નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું. હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા બાદ ધરપકડથી બચવા નિહાલ ઘરે જતો રહ્યો હતો. જો કે હવે પોલીસે નિહાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...