Sunday, January 18, 2026

RTEમાં પ્રવેશ આપવાનો શાળા સંચાલક ઈન્કાર કરે છે? તો તુરંત ડાયલ કરો આ નંબર

spot_img
Share

અમદાવાદ : RTE હેઠળ એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RTEમાં ફાળવાયેલી સ્કૂલ એડમિશન આપવામાં આનાકાની કરશે તો કાર્યવાહી થશે.અમદાવાદ DEO દ્વારા ‘સારથી’ હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. જેમાં વાલીઓ ફરિયાદ કરી શકશે.

હાલ RTE હેઠળ એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે. RTE હેઠળ એડમિશનની પ્રક્રિયામાં અનેક ફરિયાદો ઉઠતા હવે અમદાવાદ DEO દ્વારા વાલીઓ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. હવે જો કોઈ સ્કૂલ પ્રવેશ આપવાની ના પાડે તો વાલીઓ આ હેલ્પલાઇનમાં ફોન કરીને ફરિયાદ કરી શકશે. વાલીઓ ‘9909922648’ આ નંબર પર ફરિયાદ કરી શકે છે. આમ તો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો નંબર તો છે જ સાથે આ એક વોટ્સએપ નંબર પર પણ વાલી એક ફરિયાદના મેસેજ આધારે પણ રજૂઆત કરી શકે છે. આ વોટ્સએપ નંબર 24 કલાક ઉપલબ્ધ છે.

જો તેઓને કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સમસ્યા છે કે પછી શાળાને લગતા કોઈ પ્રશ્નો છે તો તેનું નિરાકરણ આ વોટ્સએપ નંબર પર મેસેજ કરવાથી આવશે. આ નંબર પર ફોન પર કરી વાલીઓ ફરિયાદ કરી શકશે.

આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન મળ્યું છે. અમદાવાદ RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડની ફાળવણી કરાઈ છે. અમદાવાદમાં પ્રથમ રાઉન્ડમાં 1342 સ્કૂલોમાં 10, 756 વિદ્યાર્થીઓની ફાળવણી કરાઈ છે. અમદાવાદમાં 10 હજારથી વધુ જગ્યા માટે 17 હજાર જેટલા ફોર્મ ભરાયાં હતા. એડમિશન માટે 13 હજાર જેટલી અરજીઓ માન્ય કરાઇ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...