Tuesday, March 17, 2026

RTEમાં પ્રવેશ આપવાનો શાળા સંચાલક ઈન્કાર કરે છે? તો તુરંત ડાયલ કરો આ નંબર

spot_img
Share

અમદાવાદ : RTE હેઠળ એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RTEમાં ફાળવાયેલી સ્કૂલ એડમિશન આપવામાં આનાકાની કરશે તો કાર્યવાહી થશે.અમદાવાદ DEO દ્વારા ‘સારથી’ હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. જેમાં વાલીઓ ફરિયાદ કરી શકશે.

હાલ RTE હેઠળ એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે. RTE હેઠળ એડમિશનની પ્રક્રિયામાં અનેક ફરિયાદો ઉઠતા હવે અમદાવાદ DEO દ્વારા વાલીઓ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. હવે જો કોઈ સ્કૂલ પ્રવેશ આપવાની ના પાડે તો વાલીઓ આ હેલ્પલાઇનમાં ફોન કરીને ફરિયાદ કરી શકશે. વાલીઓ ‘9909922648’ આ નંબર પર ફરિયાદ કરી શકે છે. આમ તો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો નંબર તો છે જ સાથે આ એક વોટ્સએપ નંબર પર પણ વાલી એક ફરિયાદના મેસેજ આધારે પણ રજૂઆત કરી શકે છે. આ વોટ્સએપ નંબર 24 કલાક ઉપલબ્ધ છે.

જો તેઓને કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સમસ્યા છે કે પછી શાળાને લગતા કોઈ પ્રશ્નો છે તો તેનું નિરાકરણ આ વોટ્સએપ નંબર પર મેસેજ કરવાથી આવશે. આ નંબર પર ફોન પર કરી વાલીઓ ફરિયાદ કરી શકશે.

આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન મળ્યું છે. અમદાવાદ RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડની ફાળવણી કરાઈ છે. અમદાવાદમાં પ્રથમ રાઉન્ડમાં 1342 સ્કૂલોમાં 10, 756 વિદ્યાર્થીઓની ફાળવણી કરાઈ છે. અમદાવાદમાં 10 હજારથી વધુ જગ્યા માટે 17 હજાર જેટલા ફોર્મ ભરાયાં હતા. એડમિશન માટે 13 હજાર જેટલી અરજીઓ માન્ય કરાઇ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...