Sunday, January 25, 2026

અમદાવાદમાં આ વિસ્તારમાંથી મલ્ટિલેવલ પાર્કિંગમાં વૈભવી કારમાં દારૂ વેચવાનું કૌભાંડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં AMC ના મલ્ટિલેવલ પાર્કિંગના ભોંયરામાંથી બિનવારસી હાલતમાં પડેલી 5 વૈભવી ગાડીમાંથી દારૂ-બીયરની 1014 બોટલો પકડાઈ છે. ખાડિયા, જુહાપુરા અને ચાંદખેડાના બુટલેગરો આ પાર્કિંગમાં બિનવારસી ગાડીમાં દારૂની બોટલો છુપાવી રાખતા હતા અને ત્યાંથી ગ્રાહકોને છૂટકમાં વેચતા હતા. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ટીમે મંગળવારે મોડી રાતે દરોડો પાડીને ફોર્ચ્યુનર, ઈનોવા સહિતની 5 ગાડીમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ખાડિયા ઢાળની પોળમાં રહેતા બુટલેગર કુંતલ ભટ્ટ, જુહાપુરાના બુટલેગર મુત્લીફ કાળીયો અને ચાંદખેડા પંચશ્લોક રેસિડેન્સીમાં રહેતા આશિષકુમાર પરમારે 5 ગાડીમાં દારૂ ભરીને નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગમાં મુકી રાખી હોવાની બાતમીના આધારે બ્રાન્ચની ટીમે મંગળવારે રાતે દરોડો પાડી ભોંયરામાંથી પાર્ક કરેલી 5 ગાડીઓ મળી આવી હતી. પોલીસે તે તમામની તપાસ કરતા તેમાંથી દારૂની 918 બોટલ અને બીયરના 96 ટીન (કિંમત રૂ.1.33 લાખ) ના મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ-બિયરનો જથ્થો તેમજ 5 કાર મળીને કુલ રૂ.76.33 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ત્રણેય બુટલેગરો ગાડી મલ્ટિલેવલ પાર્કિંગમાં મૂકી રાખતા હતા. જ્યારે દારૂનો જથ્થો લેવા જવા માટે ગાડી બહાર કાઢતા હતા. તે સિવાય છૂટા છવાયા ગ્રાહકો પાર્કિંગમાં વાહન લઈને આવતા હતા અને દારૂ-બિયરનો જથ્થો લઈને ત્યાંથી જતા રહેતા હતા.5 કાર મળી 76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. નવરંગપુરાના મલ્ટિલેવલ પાર્કિંગમાંથી જે 5 ગાડીમાંથી દારૂ -બિયરનો જથ્થો મળ્યો હતો. તે તમામ કાર બિનવારસી હાલતમાં હતી. જેથી આ ગાડીઓમાં જે 3 બુટલેગરનો દારૂ હતો, તેમાંથી એક પણ હજુ સુધી પકડાયો નથી.

દારૂ ભરેલી પાંચેય ગાડીઓ લોક હતી. જેથી ગાડીઓ લઈ જવા પોલીસે ક્રેઈન બોલાવી પડી હતી. પાંચેય ગાડી ક્રેનથી ટો કરીને ક્રાઈમ બ્રાન્ચ સુધી લઈ જવામાં આવી હતી. જ્યારે આ પાંચેય ગાડીઓ કોના નામની છે તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...