Thursday, January 22, 2026

અમદાવાદના પ્રખ્યાત આ પાથરણાં બજારમાં ગેરકાયદે બેસતા 375 ફેરિયાઓને દૂર કરાયા

spot_img
Share

અમદાવાદ : સમગ્ર ગુજરાત સહીત અમદાવાના પ્રખ્યાત લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પ્લાઝામાં છેલ્લા કેટલાય સમયથી પાથરણાંવાળાના દબાણના કારણે ખૂબ જ ટ્રાફિક થતો હતો. નગરજનોને ભદ્રકાળી મંદિરે પણ આવવા-જવા માટેની જગ્યા રહેતી ન હતી. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા ભદ્ર વિસ્તારમાં આવેલા પાથરણાંવાળાનો સર્વે કરી અને જેટલા લોકો પાસે વેન્ડર કાર્ડ છે તેટલા 206 લોકોને બેસવા માટેની પરમિશન આપવામાં આવી હતી. 375 જેટલા પાથરણાંવાળા ગેરકાયદે બેસતા હોવાથી તેઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જે પણ ગેરકાયદે બેસતા હશે, તેઓને ત્યાંથી દૂર કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં ચાલુ રહેશે.

લાલ દરવાજા ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધી 1500થી 2000 જેટલા પાથરણાંવાળાના દબાણના કારણે ખૂબ જ ટ્રાફિક થતો હતો. વાહનોની અવર-જવરની સાથે લોકોને પણ ખૂબ જ તકલીફ પડતી હતી. જેને લઈને અનેક વખત રજૂઆતો છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા કુલ 844 જેટલા જ પાથરણાંવાળાને બેસવા માટેની પરમિશન હોવાથી આજે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે બેસતા પાથરણાંવાળાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભદ્ર મંદિરથી પ્રેમાભાઈ હોલ અને પ્રેમાભાઈ હોલથી ત્રણ દરવાજા સુધી એમ સેવા સંસ્થાના 372 અને સેલો સંસ્થાના 472 એમ 844 જેટલા જ પાથરણાંવાળાને બેસવાની પરમિશન છે. આજે ચેકિંગ દરમિયાન સેવા સંસ્થાના 116 અને સેલો સંસ્થાના 103 એરીયાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 206 ફેરિયાઓ પાસેથી કાર્ડ મળી આવ્યા હતા, જેમને બેસવાની પરમિશન આપવામાં આવી હતી. બાકીના ગેરકાયદેસર રીતે બેસતા લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જેથી હવેથી જો વધારાના ફેરિયાઓ બેસે તો તેમને ત્યાંથી દૂર કરવામાં આવશે તેમ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...