Saturday, May 30, 2026

અમદાવાદના પ્રખ્યાત આ પાથરણાં બજારમાં ગેરકાયદે બેસતા 375 ફેરિયાઓને દૂર કરાયા

spot_img
Share

અમદાવાદ : સમગ્ર ગુજરાત સહીત અમદાવાના પ્રખ્યાત લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પ્લાઝામાં છેલ્લા કેટલાય સમયથી પાથરણાંવાળાના દબાણના કારણે ખૂબ જ ટ્રાફિક થતો હતો. નગરજનોને ભદ્રકાળી મંદિરે પણ આવવા-જવા માટેની જગ્યા રહેતી ન હતી. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા ભદ્ર વિસ્તારમાં આવેલા પાથરણાંવાળાનો સર્વે કરી અને જેટલા લોકો પાસે વેન્ડર કાર્ડ છે તેટલા 206 લોકોને બેસવા માટેની પરમિશન આપવામાં આવી હતી. 375 જેટલા પાથરણાંવાળા ગેરકાયદે બેસતા હોવાથી તેઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જે પણ ગેરકાયદે બેસતા હશે, તેઓને ત્યાંથી દૂર કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં ચાલુ રહેશે.

લાલ દરવાજા ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધી 1500થી 2000 જેટલા પાથરણાંવાળાના દબાણના કારણે ખૂબ જ ટ્રાફિક થતો હતો. વાહનોની અવર-જવરની સાથે લોકોને પણ ખૂબ જ તકલીફ પડતી હતી. જેને લઈને અનેક વખત રજૂઆતો છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા કુલ 844 જેટલા જ પાથરણાંવાળાને બેસવા માટેની પરમિશન હોવાથી આજે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે બેસતા પાથરણાંવાળાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભદ્ર મંદિરથી પ્રેમાભાઈ હોલ અને પ્રેમાભાઈ હોલથી ત્રણ દરવાજા સુધી એમ સેવા સંસ્થાના 372 અને સેલો સંસ્થાના 472 એમ 844 જેટલા જ પાથરણાંવાળાને બેસવાની પરમિશન છે. આજે ચેકિંગ દરમિયાન સેવા સંસ્થાના 116 અને સેલો સંસ્થાના 103 એરીયાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 206 ફેરિયાઓ પાસેથી કાર્ડ મળી આવ્યા હતા, જેમને બેસવાની પરમિશન આપવામાં આવી હતી. બાકીના ગેરકાયદેસર રીતે બેસતા લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જેથી હવેથી જો વધારાના ફેરિયાઓ બેસે તો તેમને ત્યાંથી દૂર કરવામાં આવશે તેમ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...