Thursday, March 12, 2026

અમદાવાદના પ્રખ્યાત આ પાથરણાં બજારમાં ગેરકાયદે બેસતા 375 ફેરિયાઓને દૂર કરાયા

spot_img
Share

અમદાવાદ : સમગ્ર ગુજરાત સહીત અમદાવાના પ્રખ્યાત લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પ્લાઝામાં છેલ્લા કેટલાય સમયથી પાથરણાંવાળાના દબાણના કારણે ખૂબ જ ટ્રાફિક થતો હતો. નગરજનોને ભદ્રકાળી મંદિરે પણ આવવા-જવા માટેની જગ્યા રહેતી ન હતી. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા ભદ્ર વિસ્તારમાં આવેલા પાથરણાંવાળાનો સર્વે કરી અને જેટલા લોકો પાસે વેન્ડર કાર્ડ છે તેટલા 206 લોકોને બેસવા માટેની પરમિશન આપવામાં આવી હતી. 375 જેટલા પાથરણાંવાળા ગેરકાયદે બેસતા હોવાથી તેઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જે પણ ગેરકાયદે બેસતા હશે, તેઓને ત્યાંથી દૂર કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં ચાલુ રહેશે.

લાલ દરવાજા ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધી 1500થી 2000 જેટલા પાથરણાંવાળાના દબાણના કારણે ખૂબ જ ટ્રાફિક થતો હતો. વાહનોની અવર-જવરની સાથે લોકોને પણ ખૂબ જ તકલીફ પડતી હતી. જેને લઈને અનેક વખત રજૂઆતો છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા કુલ 844 જેટલા જ પાથરણાંવાળાને બેસવા માટેની પરમિશન હોવાથી આજે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે બેસતા પાથરણાંવાળાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભદ્ર મંદિરથી પ્રેમાભાઈ હોલ અને પ્રેમાભાઈ હોલથી ત્રણ દરવાજા સુધી એમ સેવા સંસ્થાના 372 અને સેલો સંસ્થાના 472 એમ 844 જેટલા જ પાથરણાંવાળાને બેસવાની પરમિશન છે. આજે ચેકિંગ દરમિયાન સેવા સંસ્થાના 116 અને સેલો સંસ્થાના 103 એરીયાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 206 ફેરિયાઓ પાસેથી કાર્ડ મળી આવ્યા હતા, જેમને બેસવાની પરમિશન આપવામાં આવી હતી. બાકીના ગેરકાયદેસર રીતે બેસતા લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જેથી હવેથી જો વધારાના ફેરિયાઓ બેસે તો તેમને ત્યાંથી દૂર કરવામાં આવશે તેમ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...