Wednesday, March 11, 2026

અમદાવાદમાં તસ્કરોનો આતંક, ઓફિસનું તાળું તોડીને 77 લાખના 119 આઈફોનની ચોરી

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે આઈ વિઝન કોમ્પ્લેક્સમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. માસ્ક, ટોપી તેમજ કોલેજિયન બેગ લટકાવીને ચોરી કરવા આવેલા ચોરની તસવીર ઓફિસની બહારના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મોબાઇલની હોલસેલની દુકાનમાંથી 119 આઇફોનની ચોરીની ઘટનાથી ચકચાર મચ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે આઈ વિઝન કોમ્પ્લેક્સમાં આવેલી મોબાઈલ ફોનના હોલસેલરની દુકાનમાં મોડી રાતે ચોર 119 આઇફોન ચોરીની ઘટના સામે આવી છે. જેની કિંમત અંદાજિત 76.75 લાખ રૂપિયા છે. ચોરી કરાયેલા આઇફોનમાં આઈફોન 14 મોડલના 72 ફોન ચોરાયા છે જ્યારે હતા જ્યારે આઈફોન 13 મોડલના 47 ફોનની ચોરી થઈ છે. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે પોલીસે ચોરીની ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ફરિયાદી અપૂર્વ ભટ્ટ પાંજરાપોળ ચાર રસ્તા નજીક વાયબલ રિકોમર્સ ઈંડિયા નામની કંપની ધરાવીને હોલસેલમાં મોબાઈલ ખરીદ વેચાણનો ધંધો કરે છે. 5 જૂનના સોમવારે સવારે ઓફિસે પહોંચ્યો ત્યારે દરવાજાનું લોક તૂટેલું હતું. જે બાદ જાણ થઇ કે, તિજોરીમાંથી રોકડા રૂ.63,500 અને 128 જીબીના 72 આઈફોન 14, 128 જીબીના 31 આઈફોન 13 અને જૂના સ્ટોરમાંથી 11 આઈફોન 13 મળીને કુલ રૂ.76.75 લાખની 119 આઈફોનની ચોરી થઈ છે. જે બાદ વેપારીએ દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક ચોર 4 જૂને રાત્રે ઓફિસમાં ઘુસ્યો હતો અને હાથફેરો કરી નાસી છૂટયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...