Monday, March 2, 2026

ગુજરાતવાસીઓ ! બિપોરજોય વાવાઝોડામાં ફસાઈ જાઓ તો શું કરશો? શું નહીં? આટલું જાણી લો

spot_img
Share

ગાંધીનગર : રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના વહીવટી તંત્ર એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યું છે.ગુજરાતના દરિયાકાંઠેથી આ વાવાઝોડું લેન્ડફોલ કરવાનું હોવાથી વાવાઝોડાની અસર મોટી જોવા મળી શકે છે. ત્યારે વાવાઝોડા સમયે આપ ક્યારેય ફસાઈ જાઓ તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેની વાત કરીશું.

જો તમારા ઘરની નજીક કોઈ સુકા ઝાડ કે ડાળખીઓ છે તો તેને દૂર કરી દો, ઉડીને ફંગોળાઈ જાય તેવી વસ્તુઓને દૂર કરી દો. ઘરમાં ખાસ કરીને ટોર્ચ, ઈમર્જન્સીમાં કામમાં આવી શકે તેવો ભોજનનો સામાન, મેડિકલ કિટ વગેરે વસ્તુઓ હાથ વગી રાખો. શક્ય હોય તો એક પોલીથીનની બેગમાં તમામ વસ્તુઓ મુકી દો કે જેથી તે વરસાદમાં પલડી ના જાય અને ઉપયોગ કરી શકાય.

શું કરવું જોઈએ…
સરકારી ચેતવણીઓ અને ગાઈડ લાઈન્સને ફોલો કરવા સતત અપડેટેડ રહો.
અફવાઓને સાંભળી રિએક્ટ કરવા કરતા તેની સત્યતા સુધી પહોંચો અને અફવાઓને ફેલાતી પણ અટકાવો.
નીચાણવાળા વિસ્તારોમાં જો આપ રહેતા હોવ તો તે ઘર ખાલી કરી કોઈ ઊંચા સ્થાને અથવા સરકારી ટુકડીઓએ તૈયાર કરેલા શેલ્ટર હોમમાં આશરો લો. કિંમતી સામાનની જાળવણી જાતે કરવી.
ઘરમાંથી સ્થળાંતર કરો છો તો ગેસ સપ્લાય લાઈન અને વીજળીની લાઈનને બંધ કરવાનું ભુલતા નહીં.
પાણી અને ખોરાક જરૂરત પ્રમાણે સ્ટોર કરો.
કોઈ એક સુરક્ષિત સ્થાને આસરો લીધા પછી જ્યાં સુધી સાયક્લોનનો ખતરો ટળે નહીં ત્યાં સુધી બીન જરૂરી બહાર ના નીકળો.
ઘરમાં કોઈ ગર્ભવતી હોય કે જેઓને તે સમયે ડિલિવરીની તારીખો નજીક હોય, કે કોઈ અન્ય મોટી મેડિકલને લગતી જરૂરિયાત હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરો અથવા ડોક્ટરની સલાહ અગાઉથી જ લઈ લો.

શું ન કરવું જોઈએ…
શું નહીં કરવામાં ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે કોઈ ઝાડ નીચે કે ખંડીત ઈમારતો નીચે આશરો ના લેશો. જર્જરિત ઈમારતો આવા સમયે વધુ ભયાનક બની શકે છે. વાવાઝોડા પછી જ્યાં સુધી શેલ્ટરહોમ છોડવા જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી શેલ્ટર હોમ ના છોડશો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...