Thursday, January 15, 2026

ગુજરાતવાસીઓ ! બિપોરજોય વાવાઝોડામાં ફસાઈ જાઓ તો શું કરશો? શું નહીં? આટલું જાણી લો

spot_img
Share

ગાંધીનગર : રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના વહીવટી તંત્ર એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યું છે.ગુજરાતના દરિયાકાંઠેથી આ વાવાઝોડું લેન્ડફોલ કરવાનું હોવાથી વાવાઝોડાની અસર મોટી જોવા મળી શકે છે. ત્યારે વાવાઝોડા સમયે આપ ક્યારેય ફસાઈ જાઓ તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેની વાત કરીશું.

જો તમારા ઘરની નજીક કોઈ સુકા ઝાડ કે ડાળખીઓ છે તો તેને દૂર કરી દો, ઉડીને ફંગોળાઈ જાય તેવી વસ્તુઓને દૂર કરી દો. ઘરમાં ખાસ કરીને ટોર્ચ, ઈમર્જન્સીમાં કામમાં આવી શકે તેવો ભોજનનો સામાન, મેડિકલ કિટ વગેરે વસ્તુઓ હાથ વગી રાખો. શક્ય હોય તો એક પોલીથીનની બેગમાં તમામ વસ્તુઓ મુકી દો કે જેથી તે વરસાદમાં પલડી ના જાય અને ઉપયોગ કરી શકાય.

શું કરવું જોઈએ…
સરકારી ચેતવણીઓ અને ગાઈડ લાઈન્સને ફોલો કરવા સતત અપડેટેડ રહો.
અફવાઓને સાંભળી રિએક્ટ કરવા કરતા તેની સત્યતા સુધી પહોંચો અને અફવાઓને ફેલાતી પણ અટકાવો.
નીચાણવાળા વિસ્તારોમાં જો આપ રહેતા હોવ તો તે ઘર ખાલી કરી કોઈ ઊંચા સ્થાને અથવા સરકારી ટુકડીઓએ તૈયાર કરેલા શેલ્ટર હોમમાં આશરો લો. કિંમતી સામાનની જાળવણી જાતે કરવી.
ઘરમાંથી સ્થળાંતર કરો છો તો ગેસ સપ્લાય લાઈન અને વીજળીની લાઈનને બંધ કરવાનું ભુલતા નહીં.
પાણી અને ખોરાક જરૂરત પ્રમાણે સ્ટોર કરો.
કોઈ એક સુરક્ષિત સ્થાને આસરો લીધા પછી જ્યાં સુધી સાયક્લોનનો ખતરો ટળે નહીં ત્યાં સુધી બીન જરૂરી બહાર ના નીકળો.
ઘરમાં કોઈ ગર્ભવતી હોય કે જેઓને તે સમયે ડિલિવરીની તારીખો નજીક હોય, કે કોઈ અન્ય મોટી મેડિકલને લગતી જરૂરિયાત હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરો અથવા ડોક્ટરની સલાહ અગાઉથી જ લઈ લો.

શું ન કરવું જોઈએ…
શું નહીં કરવામાં ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે કોઈ ઝાડ નીચે કે ખંડીત ઈમારતો નીચે આશરો ના લેશો. જર્જરિત ઈમારતો આવા સમયે વધુ ભયાનક બની શકે છે. વાવાઝોડા પછી જ્યાં સુધી શેલ્ટરહોમ છોડવા જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી શેલ્ટર હોમ ના છોડશો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...