Monday, November 10, 2025

ગુજરાતવાસીઓ ! બિપોરજોય વાવાઝોડામાં ફસાઈ જાઓ તો શું કરશો? શું નહીં? આટલું જાણી લો

spot_img
Share

ગાંધીનગર : રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના વહીવટી તંત્ર એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યું છે.ગુજરાતના દરિયાકાંઠેથી આ વાવાઝોડું લેન્ડફોલ કરવાનું હોવાથી વાવાઝોડાની અસર મોટી જોવા મળી શકે છે. ત્યારે વાવાઝોડા સમયે આપ ક્યારેય ફસાઈ જાઓ તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેની વાત કરીશું.

જો તમારા ઘરની નજીક કોઈ સુકા ઝાડ કે ડાળખીઓ છે તો તેને દૂર કરી દો, ઉડીને ફંગોળાઈ જાય તેવી વસ્તુઓને દૂર કરી દો. ઘરમાં ખાસ કરીને ટોર્ચ, ઈમર્જન્સીમાં કામમાં આવી શકે તેવો ભોજનનો સામાન, મેડિકલ કિટ વગેરે વસ્તુઓ હાથ વગી રાખો. શક્ય હોય તો એક પોલીથીનની બેગમાં તમામ વસ્તુઓ મુકી દો કે જેથી તે વરસાદમાં પલડી ના જાય અને ઉપયોગ કરી શકાય.

શું કરવું જોઈએ…
સરકારી ચેતવણીઓ અને ગાઈડ લાઈન્સને ફોલો કરવા સતત અપડેટેડ રહો.
અફવાઓને સાંભળી રિએક્ટ કરવા કરતા તેની સત્યતા સુધી પહોંચો અને અફવાઓને ફેલાતી પણ અટકાવો.
નીચાણવાળા વિસ્તારોમાં જો આપ રહેતા હોવ તો તે ઘર ખાલી કરી કોઈ ઊંચા સ્થાને અથવા સરકારી ટુકડીઓએ તૈયાર કરેલા શેલ્ટર હોમમાં આશરો લો. કિંમતી સામાનની જાળવણી જાતે કરવી.
ઘરમાંથી સ્થળાંતર કરો છો તો ગેસ સપ્લાય લાઈન અને વીજળીની લાઈનને બંધ કરવાનું ભુલતા નહીં.
પાણી અને ખોરાક જરૂરત પ્રમાણે સ્ટોર કરો.
કોઈ એક સુરક્ષિત સ્થાને આસરો લીધા પછી જ્યાં સુધી સાયક્લોનનો ખતરો ટળે નહીં ત્યાં સુધી બીન જરૂરી બહાર ના નીકળો.
ઘરમાં કોઈ ગર્ભવતી હોય કે જેઓને તે સમયે ડિલિવરીની તારીખો નજીક હોય, કે કોઈ અન્ય મોટી મેડિકલને લગતી જરૂરિયાત હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરો અથવા ડોક્ટરની સલાહ અગાઉથી જ લઈ લો.

શું ન કરવું જોઈએ…
શું નહીં કરવામાં ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે કોઈ ઝાડ નીચે કે ખંડીત ઈમારતો નીચે આશરો ના લેશો. જર્જરિત ઈમારતો આવા સમયે વધુ ભયાનક બની શકે છે. વાવાઝોડા પછી જ્યાં સુધી શેલ્ટરહોમ છોડવા જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી શેલ્ટર હોમ ના છોડશો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...