Tuesday, February 10, 2026

જો તમારે અમદાવાદથી ફ્લાઇટમાં જવાનું હોય તો એરપોર્ટ ઓથોરિટીની ખાસ એડવાઇઝરી વાંચી લેજો

spot_img
Share

અમદાવાદ : બિપોરજોય વાવાઝોડાને લઈ હવે અમદાવાદ એરપોર્ટ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર ખાસ કરીને વાવાઝોડા સમયે શું તકેદારી રાખવી તે અંગેની ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ઇલેક્ટ્રિક ગેજેટ્સને વોટર પ્રુફ બેગમાં રાખવા, સાથે ઘરેથી એરપોર્ટ નીકળતા પહેલા એક વખત ફ્લાઇટ શિડ્યુલ ચકાસી લેવું અને એરલાઇન્સનો કોન્ટેક્ટ કરવો તેવી જાણ કરવામાં આવી છે. જેના કારણે જો ફ્લાઇટ ડીલે હોય તો મુસાફરોને તકલીફ ન પડે અથવા પોતે સુરક્ષિત રહે તે માટેની વ્યવસ્થા કરી શકાય.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ એરપોર્ટ પર જતા મુસાફરોને આજે એરપોર્ટ પર જતા પહેલા ખાસ એડવાઈઝરી ધ્યાન રાખવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે. જેમાં ખાસ કરીને એરપોર્ટ પર પહોંચતા મુસાફરોએ ઘરેથી નીકળતા પહેલા એરલાઇન્સમાં ફ્લાઈટ શિડ્યુલ ચેક કરવો, એની સાથે તે પોતાની સાથે લઈ જતા ઇલેક્ટ્રિક ગેજેટ્સ અને અન્ય કિંમતી વસ્તુઓને વોટરપ્રૂફિંગ કરી પોતાની સાથે રાખે. જેના કારણે તે વસ્તુને નુકસાન ન થઈ શકે. આ બધાની સાથે એરપોર્ટ પર અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મુસાફરોને અગવડ ન પડે તે માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ ગોઠવવામાં આવ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર હાલ તમામ પાર્ક પ્લેનને બોરિંગ કરીને પાર્ક કરવામાં આવ્યા છે. બીજી તરફ કોઈ પણ એવી વસ્તુ એરપોર્ટ નજીક રાખવામાં નથી આવી જેના કારણે એ વસ્તુ પવનના કારણે ઉડીને ક્યાંક નુકસાન પહોંચાડી શકે. સતત 24 કલાકથી અમદાવાદ એરપોર્ટ દ્વારા એરપોર્ટ અને આસપાસની દરેક જગ્યા જ્યાં પબ્લિકની અવર-જવર છે અથવા ફ્લાઇટ ટેક ઓફ કે લેન્ડિંગ થાય છે તેવી જગ્યાએ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

દરેક મુસાફરે પોતાના નિર્ધારિત સમયે નિશ્ચિત કરીને એરપોર્ટ પર પહોંચવું, જેના કારણે સંભવિત સ્થિતિના કારણે તેમને ફ્લાઈટમાં કોઈ મુશ્કેલી પડે નહીં એટલે હવે આગામી બે દિવસ અમદાવાદ એરપોર્ટ પર ખાસ એડવાઈઝરીનું પાલન કરવાવા મુસાફરોને ખાસ તાકીદ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...