Tuesday, March 17, 2026

ઘાટલોડીયામાં લિવ-ઈનમાં રહેતી યુવતીના આપઘાત મામલે નવો વળાંક, ભાઈએ આસામથી ફરિયાદ કરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઘાટલોડીયામાં લિવ ઇનમાં રહેતી આસામની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક શિવાલી કશ્યપના ભાઇએ સૌરવ પુરોહિત સામે આસામમાં ફરિયાદ નોંધાવી છે. સૌરવ પુરોહિતની માતા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.અમદાવાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. ઘાટલોડીયા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં થોડા દિવસ પહેલા આસામની યુવતીના રહસ્મય આપઘાત કેસમાં એક નવો વળાક સામે આવ્યો છે. થોડા સમય પહેલા શિવાલી કશ્યપ નામની યુવતીએ આપઘાત કર્યો હતો.યુવતી અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરી રહી હતી. આપઘાતના શંકાસ્પદ મોત મામલામાં શિવાલીના ભાઈ આશુતોષ બરુઆએ આસામમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. શિવાલીના કથિત બોયફ્રેન્ડ સૌરવ પુરોહિત અને તેની માતા રંજના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.

આ અગાઉ ઘાટલોડીયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.યુવતીનુ શંકાસ્પદ મોત હોવાથી પોલીસે સૌરભની તપાસ કરવામાં આવી હતી.ફરિયાદ આસામના શિવસાગર જિલ્લાના નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એફઆઇઆર તપાસ માટે ઝીરો નંબરથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઈ છે. ઘાટલોડિયા પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...