અમદાવાદ : અમદાવાદીઓ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવતા પક્ષીઓને લોકોને જોવા માટે ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બર્ડ વોચિંગ કરાવવાનું આયોજન કર્યું છે. રિવરફ્રન્ટના ચાર લોકેશન ઉપરથી ખાસ બર્ડ વોચરની ટીમ દ્વારા લોકોને ટેલિસ્કોપ અને કેમેરાની મદદથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ બતાવવામાં આવશે. અમદાવાદમાં સૌપ્રથમ વખત સાબરમતી રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રિજ નીચે આવેલા બાયોડાઇવર્સિટી પાર્ક ખાતેથી બર્ડ વોચિંગની આગામી 5 જુલાઈથી શરૂઆત કરવામાં આવશે. પક્ષીઓ જોવા માટે દ્વારા આપવામાં આવેલા ગુગલ ફોર્મ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દર શનિ-રવિ હવેથી બર્ડ વોચિંગ કરાવવામાં આવશે. ખાસ બોર્ડ વોચરના નિષ્ણાંતો દ્વારા ટેલિસ્કોપ, દૂરબીન, કેમેરા અને પક્ષીઓની માહિતી આપતી હેન્ડબૂક લોકોને આપવામાં આવશે.અમદાવાદ શહેરમાં અનેક જાતિના પક્ષીઓ આવેલા હોય છે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં સવારે અને સાંજે પક્ષીઓ આવતા હોય છે. શહેરની સુંદરતામાં વધારો કરતા આવા પક્ષીઓની લોકો સુધી માહિતી પહોંચે તેના માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા લોકો પક્ષીઓ જોઈ શકે તેના માટે આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
જે લોકો રિવરફ્રન્ટ પર આવતા પક્ષીઓ જોવા માંગતા હોય તેમણે https://forms.gle/EU24t1skQABryAZEA લિંક ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉપરાંત એક સ્કેનર પણ આપવામાં આવ્યું છે જે મારફતે ગુગલ ફોર્મની લીંક મેળવી શકાશે. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાર જેટલા લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. પક્ષીઓને જોવા માટે સવારે 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યાનો સમય રહેશે. આકાશમાં ઉડતા પક્ષીઓ, તેમના અવાજ તેમની અનોખી મનમોહક અદાઓ કેમેરામાં લોકો કેદ કરી શકશે. અમદાવાદમાં 191 પ્રજાતિના દર વર્ષે બે લાખ જેટલા પક્ષીઓ આવતા હોય છે
ક્યાં ક્યાં લોકેશન
બાયોડાયવર્સિટી પાર્ક, આંબેડકર બ્રિજ નીચે
ફ્લાવર પાર્ક
દૂધેશ્વર બ્રિજ
રેલવે સુભાષબ્રિજ