Wednesday, January 14, 2026

અમદાવાદના બિઝનેસમેને 0007 તથા 0009 નંબર પ્લેટ માટે આટલા લાખ ખર્ચી નાખ્યા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ RTO દ્વારા ઘણીવાર VIP નંબરોની હરાજી કરવામાં આવે છે. ત્યારે વાહનોની નંબર પ્લેટ હવે સ્ટેટસ સિમ્બોલ બની ગઇ છે અને ચોકકસ નંબર લેવા માટે વાહનની કિંમત કરતા પણ અનેક વખત વધુ નાણાં આ નંબર માટે ચૂકવાય છે.જેમાં મનપસંદ નંબર મેળવવા માટે વાહન ચાલકો લાખોની બોલી લગાવતા હોય છે. ત્યારે શહેરમાં એક બિઝમેસ મેન દ્વારા બે ખાસ નંબર મેળવવા માટે રૂ.44 લાખની તોતિંગ બોલી લગાવવામાં આવી હતી. ઓડી Q5 અને ફોર્ચ્યુનર કાર માટે બિઝનેસ મેને 22.81 લાખ અને 22.08 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. જ્યારે આ બંને કારની મળીને કિંમત 1 કરોડ રૂપિયા થાય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મિહિર દેસાઈએ તાજેતરમાં જ Audi Q5 અને ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. બંને કાર માટે તેમણે 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં RTO દ્વારા મનપસંદ નંબરોની હરાજી કરવામાં આવી હતી. RTO દ્વારા GJ જેમાં તેમણે 0007 અને 0009 નંબર ખરીદ્યા હતા. આ બંને નંબર ખરીદવા પાછળ તેમણે હરાજીમાં 44 લાખ રૂપિયાની બોલી લગાવી હતી.

ખાસ વાત એ છે કે, RTOની ઓનલાઈન હરાજીમાં અન્ય લોકો પણ હતા, જે આ નંબર માટે બોલી લગાવી રહ્યા હતા, પરંતુ મિહિર દેસાઈએ એવો આંકડો લગાવ્યો કે અન્ય કોઈ બીડર તેની આગળ બોલી ન લગાવી શક્યો. આખરે તેમને મનપસંદ 0007 અને 0009 નંબર મળી ગયા. નોંધનીય છે કે, RTOને આ મહિનામાં મનપસંદ નંબરોની હરાજી દ્વારા જ 1.33 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...