Friday, January 9, 2026

અમદાવાદના બિઝનેસમેને 0007 તથા 0009 નંબર પ્લેટ માટે આટલા લાખ ખર્ચી નાખ્યા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ RTO દ્વારા ઘણીવાર VIP નંબરોની હરાજી કરવામાં આવે છે. ત્યારે વાહનોની નંબર પ્લેટ હવે સ્ટેટસ સિમ્બોલ બની ગઇ છે અને ચોકકસ નંબર લેવા માટે વાહનની કિંમત કરતા પણ અનેક વખત વધુ નાણાં આ નંબર માટે ચૂકવાય છે.જેમાં મનપસંદ નંબર મેળવવા માટે વાહન ચાલકો લાખોની બોલી લગાવતા હોય છે. ત્યારે શહેરમાં એક બિઝમેસ મેન દ્વારા બે ખાસ નંબર મેળવવા માટે રૂ.44 લાખની તોતિંગ બોલી લગાવવામાં આવી હતી. ઓડી Q5 અને ફોર્ચ્યુનર કાર માટે બિઝનેસ મેને 22.81 લાખ અને 22.08 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. જ્યારે આ બંને કારની મળીને કિંમત 1 કરોડ રૂપિયા થાય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મિહિર દેસાઈએ તાજેતરમાં જ Audi Q5 અને ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. બંને કાર માટે તેમણે 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં RTO દ્વારા મનપસંદ નંબરોની હરાજી કરવામાં આવી હતી. RTO દ્વારા GJ જેમાં તેમણે 0007 અને 0009 નંબર ખરીદ્યા હતા. આ બંને નંબર ખરીદવા પાછળ તેમણે હરાજીમાં 44 લાખ રૂપિયાની બોલી લગાવી હતી.

ખાસ વાત એ છે કે, RTOની ઓનલાઈન હરાજીમાં અન્ય લોકો પણ હતા, જે આ નંબર માટે બોલી લગાવી રહ્યા હતા, પરંતુ મિહિર દેસાઈએ એવો આંકડો લગાવ્યો કે અન્ય કોઈ બીડર તેની આગળ બોલી ન લગાવી શક્યો. આખરે તેમને મનપસંદ 0007 અને 0009 નંબર મળી ગયા. નોંધનીય છે કે, RTOને આ મહિનામાં મનપસંદ નંબરોની હરાજી દ્વારા જ 1.33 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...