Wednesday, September 17, 2025

અમદાવાદના બિઝનેસમેને 0007 તથા 0009 નંબર પ્લેટ માટે આટલા લાખ ખર્ચી નાખ્યા

Share

Share

અમદાવાદ: અમદાવાદ RTO દ્વારા ઘણીવાર VIP નંબરોની હરાજી કરવામાં આવે છે. ત્યારે વાહનોની નંબર પ્લેટ હવે સ્ટેટસ સિમ્બોલ બની ગઇ છે અને ચોકકસ નંબર લેવા માટે વાહનની કિંમત કરતા પણ અનેક વખત વધુ નાણાં આ નંબર માટે ચૂકવાય છે.જેમાં મનપસંદ નંબર મેળવવા માટે વાહન ચાલકો લાખોની બોલી લગાવતા હોય છે. ત્યારે શહેરમાં એક બિઝમેસ મેન દ્વારા બે ખાસ નંબર મેળવવા માટે રૂ.44 લાખની તોતિંગ બોલી લગાવવામાં આવી હતી. ઓડી Q5 અને ફોર્ચ્યુનર કાર માટે બિઝનેસ મેને 22.81 લાખ અને 22.08 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. જ્યારે આ બંને કારની મળીને કિંમત 1 કરોડ રૂપિયા થાય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મિહિર દેસાઈએ તાજેતરમાં જ Audi Q5 અને ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. બંને કાર માટે તેમણે 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં RTO દ્વારા મનપસંદ નંબરોની હરાજી કરવામાં આવી હતી. RTO દ્વારા GJ જેમાં તેમણે 0007 અને 0009 નંબર ખરીદ્યા હતા. આ બંને નંબર ખરીદવા પાછળ તેમણે હરાજીમાં 44 લાખ રૂપિયાની બોલી લગાવી હતી.

ખાસ વાત એ છે કે, RTOની ઓનલાઈન હરાજીમાં અન્ય લોકો પણ હતા, જે આ નંબર માટે બોલી લગાવી રહ્યા હતા, પરંતુ મિહિર દેસાઈએ એવો આંકડો લગાવ્યો કે અન્ય કોઈ બીડર તેની આગળ બોલી ન લગાવી શક્યો. આખરે તેમને મનપસંદ 0007 અને 0009 નંબર મળી ગયા. નોંધનીય છે કે, RTOને આ મહિનામાં મનપસંદ નંબરોની હરાજી દ્વારા જ 1.33 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...