Sunday, January 25, 2026

અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર, રિવરફ્રન્ટમાં ‘ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ’ શરૂ, જાણો ટિકિટના દર

spot_img
Share

અમદાવાદ : છેલ્લા કેટલાય સમયથી અમદાવાદીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી હવે આવી ગઈ છે. આગામી ગણતરીની કલાકોમાં જ અમદાવાદની સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી રવિવારથી એટલે કે આવતીકાલથી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ શરૂ થઈ જશે. આવતીકાલે (2 જુલાઈ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ સેવાનો પ્રારંભ કરાવશે.


આ અંગે AMCના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ટ્વીટ મુજબ લાબાં સમયથી રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં ક્રૂઝનું સપનું આખરે અમદાવાદીઓનું પૂરું થશે. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આ ક્રૂઝને તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આગામી 2જી જુલાઈના રોજ વર્ચ્યૂઅલી આ ક્રૂઝનું લોકાર્પણ કરવામાં આવશે.અંદાજે 12થી 15 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ક્રુઝની ટિકિટ લોકો ઓનલાઈન અને ઓફલાઈન બુક કરી શકશે. ખાનગી કંપની દ્વારા આ ક્રૂઝનું સંચાલન કરવામાં આવશે.

અત્યાર સુધી લોકો સાબરમતી નદીમાં બોટિંગ રાઈડનો આનંદ માણતા હતા. હવે સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે. જેમાં 150 જેટલા લોકો એકસાથે બેસીને રિવરફ્રન્ટનો નજારો માણી શકશે. હવે લોકોને આવી ક્રૂઝ રેસ્ટોરન્ટની મજા માણવા બહાર નહીં જવું પડે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...