Tuesday, January 20, 2026

અમદાવાદમાં આંખ આવવાના દર્દીમાં થયો 300 ટકાનો વધારો, જાણો લક્ષણો અને બચાવ, AMC આપશે મફત આંખના ટીપાં

spot_img
Share

અમદાવાદ : ચોમાસામાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી સુરત બાદ અમદાવાદમાં પણ આંખ આવવાની બીમારી વધી છે. કન્જેક્ટિવાઇટિસ ચેપ બાળકોથી વડીલો સુધી ઝડપથી ફેલાયો છે. અમદાવાદ અને સુરતમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોવા મળી છે. સામાન્ય દિવસ માં માત્ર બે થી ત્રણ કેસ પરંતુ અત્યારે 80 થી 90 કેસ આવી રહ્યા છે. વાઇરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે. હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે. નાના બાળકોમાં આંખની બીમારી વધુ જોવા મળે છે.

હેલ્થ કમિટિના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી 10,000 જેટલા આંખના ટીપા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યા છે. ડૉક્ટર દ્વારા તપાસ કરી અને આ આંખના ટીપા લોકોને આપવામાં આવશે.ભેજવાળા વાતાવરણના કારણે ફેલાતાં કન્જકિટવાઈટીસ નામના કેસોમાં વધારો થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્પ્યુનિટી હેલ્થ સેન્ટરો તેમજ હોસ્પિટલોમાં આંખના ટીપા મફતમાં આપવામાં આવશે. સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાંથી સામે આવી રહ્યાં છે.

નગરી હોસ્પિટલનાં ડૉક્ટરના જણાવ્યા મુજબ આંખના રોગનો વધારે ચેપ ફેલાઈ નહીં તે માટે ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આ કેસ વધવાનું મુખ્ય કારણ ભેજવાળું વાતાવરણ છે. શહેરમાં છેલ્લાં 10 દિવસથી આંખની સમસ્યા કેસમાં અંદાજીત 300 ટકા વધારો જોવા મળી રહ્યો છે. નગરી હોસ્પિટલમાં પહેલા જે દિવસના એક-બે કેસ આવતા હતા. તેની જગ્યાએ હાલમાં રોજના 80 જેટલા કેસ સામે આવી રહ્યા છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે, તે લોકોને આંખમાં ઇન્ફેક્શન આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી જેવા કેસો ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. આ ઇન્ફેક્શન 10 દિવસ સુધી રહેતું હોય છે એટલે 10 દિવસ સુધી ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.

આવા ઇન્ફેક્શન ખૂબ જ ચેપી હોય છે. જેના કારણે પોતાની તમામ જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ પરિવારના અન્ય સભ્યોથી અલગ રાખવી, જેથી કરીને પરિવારના અન્ય સભ્યોને ચેપ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત દરવાજા કે બારીના હેન્ડલને પણ વારંવાર સાફ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, આંખના ટીપા નાખ્યા બાદ પણ સાબુથી હાથ ધોઈ લેવા, જેથી કરીને અન્ય લોકોને ઇન્ફેક્શન ના ફેલાય. ખાસ કરીને જો આંખ વધારે પડતી લાલ દેખાય તો ડૉક્ટરને બતાવીને જ તેની સારવાર કરવી જોઈએ.

કેવા હોય છે લક્ષણો
ચેપને કારણે આંખમાં લાલાશ કે સોજો આવવા ઉપરાંત અન્ય લક્ષણો પણ છે-
લાલાશ અને સોજો સાથે આંખોમાં દુખાવો.
પોપચાંને સ્પર્શ કરવાથી પીડા અનુભવવી.
આંખમાંથી આવતો પીળો કે લીલો રંગનો કે રંગહીન પદાર્થ.
પોપચાની આસપાસના પોપડાઓ જામી જમવા.
આંખોમાંથી કચરો નીકળો નીકળે છે.
દ્રષ્ટિની અસ્પષ્ટતા.
આંખોમાંથી સતત પાણી આવવું.
પ્રકાશમાં આવતાં આંખોમાં દુખાવો થવો.
પાંપણોની પાછળ અથવા પાંપણના વાળમાં ગઠ્ઠો જામી જવો.

કેવી રીતે બચશો આ રોગથી
આંખના ચેપથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
તમારા હાથને વારંવાર સારી રીતે ધોવાનું રાખો.
તમારા ટુવાલ, રૂમાલ અને આંખના ટીપાં કોઈની સાથે શેર કરશો નહીં કારણ કે તે અન્ય વ્યક્તિને પણ ચેપ ફેલાવી શકે છે.
આંખોને સૂર્યપ્રકાશ અને ધૂળવાળા વાતાવરણથી દૂર રાખો.
તમારી આંખોને તમારા હાથથી ઘસો નહીં અને ગંદા હાથથી તમારી આંખોને સ્પર્શશો નહીં.
આંખોને કોઈપણ બળતરા કરે તેવા પદાર્થ જેમ કે ધુમાડો અથવા રસાયણોની તીવ્ર ગંધ વગેરેના સંપર્કમાં ન આવવા દો.
બહાર જતી વખતે ડાર્ક ચશ્મા પહેરો.
કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરશો નહીં.
આંખો પર શેક કરો, શેકથી લોહીનું ભ્રમણ વધવાથી રોગપ્રતિકારકતા વધે છે.
એન્ટિબાયોટિક દવાનાં ટીપાં કલાકે કલાકે નાંખો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...