Sunday, January 25, 2026

હાઉસિંગ રિડેવલપમેન્ટ મામલે મોટા સમાચાર, નવા વાડજની વધુ બે હાઉસીંગ સોસાયટીઓ રિડેવલપમેન્ટ માર્ગે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વર્ષો જૂની અનેક હાઉસીંગ સોસાયટીઓ અને ફ્લેટ જર્જરિત થઈ ગયા હોવાના કારણે તેના રિડેવલપમેન્ટ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.ત્યારે શહેરના નવા વાડજમાં વધુ બે હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઇ છે, આ પહેલા નવા વાડજની એક માત્ર હાઉસીંગ સોસાયટી ઉત્સવ એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટ અને વિશ્રામ પાર્ક ફ્લેટ રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઇ છે.ગત રવિવારે નંદનવન એપાર્ટમેન્ટમાં યોજાયેલ રીડેવલપમેન્ટ મામલે યોજાયેલ રહીશો સાથેની બેઠકમાં રીડેવલપમેન્ટનો નિર્ણય સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં સંમતિની પ્રક્રિયા શરૂ કરાશે, એવું નંદનવન એપાર્મેન્ટના પ્રમુખ વિનોદભાઈ ગઢવીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત નંદનવન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ વિશ્રામ પાર્કમાં પણ અગાઉના રવિવારે યોજાયેલ બેઠકમાં રીડેવલપમેન્ટ જોડાવવું એવો નિર્ણય લેવાયો હતો, જો કે વિશ્રામ પાર્કમાં 90 ટકા સંમતિ હોવાનું પ્રમુખ નિતેશભાઈ શાહે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે હાઉસીંગ બોર્ડ દ્વારા વિશ્રામ પાર્કનું ટેન્ડર 2020 બહાર પાડી બિલ્ડરની નિમણુંક કરવામાં આવી હતી. હવે વાતચીત આખરી તબક્કામાં હોઈ આગામી સમયમાં બિલ્ડર સાથે એમઓયુ થવાની શક્યતા છે.

તમને જણાવી દઈએ કે નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારમાં 90 થી વધુ હાઉસીંગ સોસાયટીઓ આવેલ છે જેમાં વર્ષો જૂની મોટાભાગની હાઉસીંગ સોસાયટીઓ જર્જરિત હાલતમાં છે. ગુજરાતમાં જર્જરિત હાલતમાં મુકાયેલાં હાઉસીંગ મકાનોના માલિકોને નવાં મકાનો મળે એવા હેતુસર ગુજરાત સરકાર અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા 2016માં રિડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...