Tuesday, January 13, 2026

દરેક માતા-પિતાએ વાંચવા જેવો કિસ્સો, 9 મહિનાનું બાળક રમતા-રમતા ગળી ગયું LED બલ્બ, અમદાવાદ સિવિલમાં થઈ સફળ સર્જરી

spot_img
Share

અમદાવાદ : ડોકટર હમેશા વાલીઓ અને માતા-પિતાને એક સલાહ આપતા હોય છે કે,તમે તમારા નાના બાળકોને નાની વસ્તુઓ જેવી કે ટાંકણી, સિક્કા,સોય જેવી નાની વસ્તુઓ દુર રાખવી જોઈએ. બાળકના ઉછેરમાં ખુબ ધ્યાન રાખવું પડે છે. અને એમાં પણ જયારે બાળકને દાંત આવતા હોય ત્યારે તો ખુબ ખ્યાલ રાખવું પડે છે કેમ કે ત્યારે તે ગમે તેવી વસ્તુઓ મોઢામાં નાખતા હોય છે. જેના કારણે એક ગંભીર ઘટના સર્જાય છે, તેવો જ એક કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો સામે આવ્યો છે.નવ માસનું એક બાળક LED બલ્બ ગળી જતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ સર્જરી કરીને બાળકના ફેફસામાંથી બલ્બ બહાર કાઢ્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના રતલામનું નવ મહિનાનું બાળક રમકડાનો મોબાઇલ રમતા- રમતા LED બલ્બ ગળી ગયું હતું. જેના કારણે શ્વાસોશ્વાસમાં તકલીફ વધતા તેણે સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. બાળકના શ્વાસોશ્વાસ વધવાથી X-Ray કરાવ્યો ત્યારે તેમાં જમણાં ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાઇ આવ્યું હતું.જે ફક્ત સર્જરી કરીને જ બહાર કાઢવું શક્ય હતું. જેથી રતલામના તબીબોએ આ બાળકને બાળરોગ સર્જરીના નિષ્ણાંત તબીબ પાસે લઈ જવા કહ્યું હતું. આ બાળકના પિતા હસરત અલીના એક મિત્ર અમદાવાદ રહે છે. તેમણે બાળકને લઈને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવા કહ્યું હતું.બાળકના માતા-પિતા મધ્યપ્રદેશથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ બાળકનો ફરીવાર એક્સ-રે કર્યો ત્યારે તેના ફેફસામાં પીન આકારનું ફોરેન બોડી દેખાયું હતું. આ ફોરેન બોડીના સચોટ નિદાન માટે બાળકની દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવી હતી. શ્વાસનળીની અંદર ફોરેન બોડીને પકડી શકાય તેમ હતું નહીં. ખૂબ જ સોજો અને વધારે પડતાં રક્તસ્ત્રાવ હોવાથી પહેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. ચાર દિવસ પછી બીજા પ્રયત્નમાં સફળતા મળી હતી. બીજા પ્રયત્નમાં ફોરેન બોડી આકારનો દેખાતો એક LED બલ્બ નીકળ્યો. બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને ડૉ. કલ્પેશની ટીમ દ્વારા સર્જરી કરીને LED બલ્બ કાઢી નાખવામાં આવ્યો હતો.સર્જરી બાદ આ પરિવાર ખુબ ખુશ થઈને મધ્યપ્રદેશ પાછો ગયો હતો. બાળક હાલ એકદમ સ્વસ્થ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....