Friday, January 23, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું કૂટણખાનું, મસાજપાર્લરની આડમાં થતો હતો દેહવેપાર, 3 યુવતી ઝડપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાંથી ફરી એકવાર મસાજની આડમાં દેહવેપાર થતો હોવાનું ઝડપાયું છે. આનંદનગર વિસ્તારમાં હાલો સ્પા એન્ડ મોરમાં પોલીસે દરોડા પાડ્યા હતા. ડમી ગ્રાહક મોકલી પોલીસે દેહવેપારનો પર્દાફાશ કર્યો છે. આ મામલે મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. દરોડા પાડતા સ્પમાંથી 3 યુવતીઓ અને 3 મહિલાઓ મળી આવી છે. આનંદનગર પોલીસ મથકે આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે.પોલીસના દરોડા બાદ મસાજ પાર્લરના સંચાલકો દ્વારા અંડર મેઇટેનન્સનું બોર્ડ લગાવી દેવાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના આનંદનગર વિસ્તારમાં રોડ ઉપર જ આવેલી દેવ એન્ટિલિયર નામની બિલ્ડીંગમાં આ હાલો સ્પા એન્ડ મોર આવેલું છે. આ મસાજ પાર્લરમાં મસાજના ઓઠા હેઠળ કુટણખાનું ચાલતું હોવાની બાતમી આનંદનગર પોલીસને મળી હતી. જેના અનુસંધાને પોલીસે એક ડમી ગ્રાહકને મસાજ પાર્લરમાં મોકલ્યો હતો. જેમાં મસાજ પાર્લરના સંચાલકોના ગોરખધંધા સામે આવ્યા હતા. જેના પછી પોલીસે મસાજ પાર્લર ઉપર દરોડા પાડતા ત્રણ યુવતીઓ અને ત્રણ મહિલાઓ મળી આવી હતી.

આ મામલે મહિલા સંચાલક અને મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના દરોડા બાદ હાલ આ મસાજ પાર્લર પર અંડર મેન્ટેનન્સનું બોર્ડ મારી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે ચોવીસ કલાક વાહનોથી ધમધમતા રોડ પર જે રીતે કોઇ પણ રોકટોક કે પોલીસના ડર વિના જે રીતે બિન્દાસ આ મસાજ પાર્લરમાં કુટણખાનું ચાલતું હતું.તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરી જાય છે.

હાલ આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.અને મસાજપાર્લરની મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.આ મસાજપાર્લરમાં જે યુવતીઓ મળી આવી છે તેમને કોઈ મજબૂરીવશ અથવા બીજા રાજ્યમાંથી બળજબરીપૂર્વક અહીં લાવીને આ પ્રકારના દુષ્કૃત્યો કરાવવામાં આવે છે તે બાબતે વધુ જાણકારી પોલીસ તપાસ બાદ બહાર આવી શકે એમ છે.

તમને જણાવી દઈએ કે થોડાક દિવસ અગાઉ જ અમદાવાદમાં એક યુવતીને સ્પા માલિક દ્વારા ઢોર માર મારવાનો મામલો સામે આવ્યો હતો. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 25 સપ્ટેમ્બરના રોજ મોડી રાતે સિંધુ ભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પાના માલિકે યુવતી સાથે લાફાવાળી કરી હોવાના ઘટના બની હતી.

જેમાં આરોપી સ્પા માલિકે યુવતી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી યુવતીના કપડાં પણ ફાડી નાખ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. વીડિયોમાં સ્પા માલિક યુવતીને મોઢા પર ફેંટો મારી રહ્યો હતો અને યુવતીને બચાવવા આવેલા એક વ્યક્તિને પણ સ્પા માલિકે ધમકી આપીને વચ્ચે ના પડવાનું કહ્યું હતું. જો કે ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...