અમદાવાદ : ચાલુ વર્ષે અમદાવાદમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ફાર્મ હાઉસ મળીને 60 થી 70 જગ્યાએ નવરાત્રિમાં રાસ – ગરબાનું આયોજન કરાયું છે. જો કે ગરબા દરમિયાન અને ત્યારબાદ લોકોએ શું ધ્યાન રાખવું તે અંગે પોલીસે ગાઈડલાઈન જારી કરી છે. જેમાં લોકોને એકાંત વાળી જગ્યાએ જવાનું ટાળવા તેમજ સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા થઇ હોય તો તેવા મિત્રને નહીં મળવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે લોકોને એવી અપીલ કરી છે કે તમે જે પણ ગ્રૂપના લોકો સાથે રાસ – ગરબા રમવા ગયા હોય તેમની સાથે જ ગરબા રમવું. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવવી નહીં કે તેમને ગ્રૂપમાં સામેલ કરવા પણ નહીં.
અમદાવાદ શહેર પોલીસ નવરાત્રી જોગ જાહેર જનતાને નમ્ર અપીલ@sanghaviharsh@GujaratPolice@InfoGujarat#AhmedabadPolice #GujaratPolice
#Navratri pic.twitter.com/0ZhtEf5nMZ— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 15, 2023
અજાણી વ્યક્તિને ફોટો-વીડિયો ન લેવા દેશો
પોતાના ગૃપ સાથે જ રાસ – ગરબા રમવાનો આગ્રહ રાખવો.
કોઇ પણ અપરિચિત વ્યક્તિ સાથે મિત્રતા કેળવવી નહીં.
અપરિચિત વ્યક્તિ દ્વારા પીવાનું પાણી ઓફર કરવામાં આવે તો પીવું નહીં.
અપરિચિત વ્યક્તિને ફોટો કે વીડિયો લેવાની પરવાનગી આપવી નહીં.
સોશિયલ મીડિયા મારફતે મિત્રતા થઈ હોય તેવા અજાણ્યા વ્યક્તિને ને મળવાનું ટાળવું, અને તેની સાથે રાસ-ગરબા રમવા જવું નહીં.
તમારી કોઈ પણ અંગત વિગત કોઈ પણ અપરિચિત વ્યક્તિને આપવી નહીં.
એકાંતવાળી જગ્યાએ જવું નહી.


