Thursday, January 15, 2026

દશેરાએ દિવાળી : અમદાવાદમાં HSRP નંબર પ્લેટ સાથે આટલા વાહનોનું વેચાણ થયું, બુકિંગમાં 15%નો વધારો

spot_img
Share

અમદાવાદ : વિજયનું પર્વ વિજયાદશમીની આખા દેશમાં ઉજવણી કરવામાં આવે છે. અધર્મ પર ધર્મના વિજયના ઉત્સવ દશેરાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ત્યારે આ વખતે દશેરામાં ઓટો મોબાઈલ ડિલરો માટે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાં આ વખતે વાહનના વેચાણમાં 15% નો વધારો નોંધાયો છે.આમ તો નવરાત્રિના નવ દિવસ અને દશેરા એમ કુલ 10 દિવસ સુધી લોકો વાહન ખરીદે છે. આ દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે સાથે સાથે જ આ દિવસે વાહન ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

અમદાવાદમાં છેલ્લા 10 દિવસોમાં 13 હજાર જેટલા ટૂ વ્હિલરનું વેચાણ થયું છે તો રાજ્યભરમાં 80 હજાર જેટલા વાહનો વેચાણ થયું છે. આ દશેરામાં પહેલીવાર એવું બન્યું છે કે, વાહન ચાલકોને HSRP નંબર પ્લેટ લગાવીને જ વાહનની ડિલિવરી આપવામાં આવી છે. તે સિવાય રાજકોટમાં 1500 થી વધારે ટૂ વ્હિલર અને 500 થી વધારે કારોનું વેચાણ થયું છે. બીજી બાજુ એક અંદાજ મુજબ સુરતમાં દશેરાના દિવસે ડિલિવરી મેળવવા માટે 450 થી વધુ કારના એડવાન્સ બુકિંગ થયા તો સુરત શહેરમાં 2000 થી વધુ ફોર વ્હીલર્સનું વેચાણ થવાનો અંદાજ છે.

સપ્ટેમ્બર માસમાં રાજય સરકાર દ્વારા વાહન ખરીદનારને નંબર પ્લેટ સાથે જ વાહન મળે તેવો નિર્ણય લેવાયો હતો જેનો અમલ શરૂ થતાં આ દશેરામાં લોકોએ નંબર પ્લેટ સાથેના વાહનોની ડિલિવરી મેળવી હતી. આ માટે લોકોએ અગાઉથી જ વાહનો બુક કરાવ્યા હતા જેથી દશેરાના દિવસે અને નવરાત્રિ દરમિયાન વાહનનોની ડિલિવરી મેળવી શકે.ઓટો ડિલર્સ દ્વારા પણ વાહનની ડિલિવરી વખતે નંબર પ્લેટ સાથે વાહન મળે તેવો આદેશ ને લઈને દશેરાએ ટુ વ્હીલરની ડિલિવરી મળે તેવું આયોજન કર્યું હતું.

ગુજરાતમાં દશેરાના દિવસે રાજ્યભરમાં ફાફડા-જલેબી આરોગવામાં આવે છે. દશેરાના સવારથી જ ફાફડા-જલેબી-ચોળાફળી ખરીદવા લોકોએ લાંબી લાઈનો લગાવી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા,સુરત સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં ફાફડા-જલેબી અને મિઠાઈનો કરોડોનો વેપાર થાય છે. ગત વર્ષે એકલા અમદાવાદમાં આશરે 150 કરોડના ફાફડા જલેબીનું વેચાણ થયું હતું તો રાજકોટમાં આશરે 50 હજાર કિલો ફાફડા જલેબીના વેચાણનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...