Friday, March 13, 2026

દશેરાએ દિવાળી : અમદાવાદમાં HSRP નંબર પ્લેટ સાથે આટલા વાહનોનું વેચાણ થયું, બુકિંગમાં 15%નો વધારો

spot_img
Share

અમદાવાદ : વિજયનું પર્વ વિજયાદશમીની આખા દેશમાં ઉજવણી કરવામાં આવે છે. અધર્મ પર ધર્મના વિજયના ઉત્સવ દશેરાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ત્યારે આ વખતે દશેરામાં ઓટો મોબાઈલ ડિલરો માટે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાં આ વખતે વાહનના વેચાણમાં 15% નો વધારો નોંધાયો છે.આમ તો નવરાત્રિના નવ દિવસ અને દશેરા એમ કુલ 10 દિવસ સુધી લોકો વાહન ખરીદે છે. આ દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે સાથે સાથે જ આ દિવસે વાહન ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

અમદાવાદમાં છેલ્લા 10 દિવસોમાં 13 હજાર જેટલા ટૂ વ્હિલરનું વેચાણ થયું છે તો રાજ્યભરમાં 80 હજાર જેટલા વાહનો વેચાણ થયું છે. આ દશેરામાં પહેલીવાર એવું બન્યું છે કે, વાહન ચાલકોને HSRP નંબર પ્લેટ લગાવીને જ વાહનની ડિલિવરી આપવામાં આવી છે. તે સિવાય રાજકોટમાં 1500 થી વધારે ટૂ વ્હિલર અને 500 થી વધારે કારોનું વેચાણ થયું છે. બીજી બાજુ એક અંદાજ મુજબ સુરતમાં દશેરાના દિવસે ડિલિવરી મેળવવા માટે 450 થી વધુ કારના એડવાન્સ બુકિંગ થયા તો સુરત શહેરમાં 2000 થી વધુ ફોર વ્હીલર્સનું વેચાણ થવાનો અંદાજ છે.

સપ્ટેમ્બર માસમાં રાજય સરકાર દ્વારા વાહન ખરીદનારને નંબર પ્લેટ સાથે જ વાહન મળે તેવો નિર્ણય લેવાયો હતો જેનો અમલ શરૂ થતાં આ દશેરામાં લોકોએ નંબર પ્લેટ સાથેના વાહનોની ડિલિવરી મેળવી હતી. આ માટે લોકોએ અગાઉથી જ વાહનો બુક કરાવ્યા હતા જેથી દશેરાના દિવસે અને નવરાત્રિ દરમિયાન વાહનનોની ડિલિવરી મેળવી શકે.ઓટો ડિલર્સ દ્વારા પણ વાહનની ડિલિવરી વખતે નંબર પ્લેટ સાથે વાહન મળે તેવો આદેશ ને લઈને દશેરાએ ટુ વ્હીલરની ડિલિવરી મળે તેવું આયોજન કર્યું હતું.

ગુજરાતમાં દશેરાના દિવસે રાજ્યભરમાં ફાફડા-જલેબી આરોગવામાં આવે છે. દશેરાના સવારથી જ ફાફડા-જલેબી-ચોળાફળી ખરીદવા લોકોએ લાંબી લાઈનો લગાવી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા,સુરત સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં ફાફડા-જલેબી અને મિઠાઈનો કરોડોનો વેપાર થાય છે. ગત વર્ષે એકલા અમદાવાદમાં આશરે 150 કરોડના ફાફડા જલેબીનું વેચાણ થયું હતું તો રાજકોટમાં આશરે 50 હજાર કિલો ફાફડા જલેબીના વેચાણનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...