અમદાવાદ : ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે. પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં મહેસાણામાં PM મોદીની સભાને લઈને તૈયારીઓ શરૂ થઇ છે. તેમાં 30 ઓક્ટોબરે PM મોદી મહેસાણા જશે. જેમાં 4778 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે. તથા મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને PM મોદી સંબોધશે.
મહેસાણા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.ત્યારે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે માહિતી આપતા જણાવ્યું કે રૂપિયા 4778 કરોડ કરતા વધુના કામનું PM મોદીના હસ્તે ખાત મુહૂર્ત અને લોકાપર્ણ થશે. તેમજ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સંયુક્ત સભાને PM મોદી સંબોધશે. મહેસાણા ભાજપ દ્વારા મોટી સંખ્યામાં લોકો સભાસ્થળ સુધી પહોંચે તે માટે આયોજન કરાયું છે. 30 ઓક્ટોબરના રોજ PM ની સભાને લઈને તૈયારીઓ થઇ રહી છે.
મળતી માહિતી મુજબ 30 અને 31 તારીખે રાજ્યની મુલાકાતે આવશે. ઉત્તર ગુજરાતના ખેરાલુ વિધાનસભા વિવિધ લોકાર્પણના કામો સહિત સભા સંબોધન કરશે. 31 ઓક્ટોબર કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ આપશે હાજરી. PM મોદીની બે દિવસય મુલાકાતને લઈને ગુજરાત ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજા દિવસે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, ઉલ્લેખનીય છે કે ટૂંકા અંતરે PM મોદીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે.
આ અગાઉ PM મોદી 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે પછી તેઓ છોટાઉદેપુર લોકસભા મતક્ષેત્રના બોડેલી ખાતે વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને બહોળી સંખ્યામાં જનમેદનીને સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે આ મુલાકાત ખાસ બનાવવા માટે કમલમમાં પણ બેઠકોનો દોર શરૂ થશે તેવી અટકળો શરૂ થઇ છે.


