Friday, January 23, 2026

અમદાવાદમાં છેલ્લા 26 દિવસમાં 1441 રખડતા ઢોર પકડાયાં, 12 લાખ દંડ વસુલાયો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરથી શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે પગલાં લેવાની તાકીદ કર્યા બાદ AMC દ્વારા પોલીસી બનાવીને રખડતા ઢોર પકડવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવ ટીમો દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઓક્ટોબરના છેલ્લા 26 દિવસમાં 1441થી વધુ પશુઓને પકડવામાં આવ્યા છે. જ્યારે 225 પશુઓ છોડાવવા માટે પશુ માલિકો પાસેથી 12 લાખ દંડ પેટે વસૂલવામાં આવ્યા છે. 46થી વધુ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

AMCના સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2023ના 10 મહિનામાં 10516 જેટલા પશુઓ પકડવામાં આવ્યા હતા. જેમાંથી પશુ માલિકો દ્વારા 1231 પશુઓ છોડાવવા માટે 72.08 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે 448 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.ના સીએનસીડી વિભાગ દ્વારા પશુ પકડવાની કામગીરી કરવામાં આવી હતી અને વિવિધ વિસ્તારોમાંથી 136 પશુઓ પકડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023ના અમલવારી અન્વયે શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારો ઓમનગર, મેમ્કો, નરોડા પાટીયા, ઠક્કરનગર, બાપુનગર, સરસપુર, મણિનગર, બેહરામપુરા, ભુલાભાઇ પાર્ક, મજુરગામ, રાજેન્દ્રપાર્ક, ભીમજીપુરા, રામાપીર ટેકરો, જમાલપુર, વાડજ, મીરજાપુર, શાહપુર, ચાણકયપુરી, કર્ણાવતી કલબ, બોપલ, ઘુમા, અમરાઇવાડી, હાટકેશ્વર, મેઘાણીનગર, ચાંદલોડીયા, વણજારગામ, વસ્ત્રાલ, મોટેરા, ત્રાગડ, વિરાટનગર, ખોખરા, ઇસનપુર, ગરીબનગર, ખાડીયા, રાઇપુર, જગતપુર, આંબાવાડીમાં પશુઓ પકડવામાં આવ્યા હતા..

શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે પોલીસી-2023ની 1 સપ્ટેમ્બરથી અસરકારક અમલવારીની વ્યવસ્થા ગોઠવી સંયુક્ત કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ પોતાની માલિકીના જગ્યામાં રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે, પશુ રાખવાની જગા ન હોય તેવા પશુઓને શહેર બહાર અન્યત્ર શીફટ કરવા, પશુ રાખવા લાયસન્સ પરમીટ મેળવી લેવા, પશુઓની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાડવા, પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ નહીં કરવા, રખડતા પશુ પકડવાની મ્યુનિ કોર્પો શહેર પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો નહીં કરવા તકેદારી રાખવા પશુમાલિકો / પશુપાલકોને તાકિદ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...