Thursday, January 22, 2026

હાઉસીંગ રિડેવલપમેન્ટને લઈને નાગરિક સેવા સંગઠન મેદાનમાં…!!

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા, સોલા અને નવા વાડજ વિસ્તારમાં અનેક હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલમેન્ટની ચર્ચા મોખરે છે.જર્જરીત બાંધકામને લઈને હાઉસીંગના રહીશો પણ રિડેવલમેન્ટ ઈચ્છી રહ્યા છે. તો કયાંક વિરોધ પણ થઈ રહ્યો છે, હાઉસીંગ બોર્ડની પોલીસી અને કાર્યપ્રણાલીને લઈને હાઉસીંગ રહીશોનું બનેલું નાગરિક સેવા સંગઠન મેદાનમાં આવ્યું છે.આ સંગઠનની મુખ્ય માગણીઓ હાઉસીંગ બોર્ડ લીઝડીડને લઈને છે,જેમાં રિડેવલપમેન્ટમાં બિલ્ડર લાવવાની સત્તા એસોસિયેશન મળે, આ ઉપરાંત સરકારની રિડેવલપમેન્ટ પોલીસીમાં મૂળ બાંધકામ 40 ટકા વધુ બાંધકામની જોગવાઈ છે, આમાં સંગઠન 60 થી 70 ટકા વધુ મોટું બાંધકામ મળે તેવી માગણી કરી રહ્યા છે, જયારે અન્ય સૌથી અગત્યની માંગણી એ છે કે દરેક ગીફટ મની મળવી જોઈએ.

નાગરિક સેવા સંગઠનના અગ્રણી વિનોદભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ ,નાગરિક સેવા સંગઠન ક્યારેય રિડેવલપમેન્ટના વિરુદ્ધમાં નથી પરંતુ રિડેવલપમેન્ટમાં રહીશોને જે અન્યાય થઇ રહેલ છે એનો વિરોધ જરુર કરે છે.આ સિવાય ગીફટ મની સહિતની અન્ય માંગણીઓને અમારુ સંગઠન તરફેણ કરે છે.આ સિવાય વિનોદભાઈ એ વધુમાં જણાવ્યુ છે કે,હાઉસિંગ બોર્ડે જ્યારે આપણને પહેલી વાર જ્યારે કન્વીયન્સ ડીડ કરેલુ ત્યારે પેરા 7-સી માં સ્પષ્ટ લખેલુ છે કે, એસોસિએશને લીઝડીડ કરાવી લેવી. લીઝડીડની ફી પણ આપણી પાસેથી લીધેલી છે. આ સિવાય જે સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં ત્રિપક્ષીય કરાર થયેલ છે એમાં ત્રીજા પક્ષ તરીકે બિલ્ડર હોય છે,એમના નિવેદનમાં સ્પષ્ટ લખેલ છે કે સોસાયટીની 99+99 વર્ષની લીઝડીડ કરેલ છે.આ બધા પુરાવાઓ સાબિત કરે છે કે,આપણે ૯૯ વર્ષના જમીનના માલિક કમ કબ્જેદાર છીએ. આ સિવાય આર.ટી.આઇના માધ્યમથી જે પુરાવાઓ એકત્ર કરેલ છે એ બધા એકઠા કરીને અમો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં લીઝડીડ માટેની બે SCA દાખલ કરેલ છે.એની આગામી તારીખ 5 મી ફેબ્રુઆરી છે.

હજુ આગામી દિવસોમાં હાઇકોટમાં બીજી દસ જેટલી SCA લીઝડીડ માટે દાખલ કરવાનુ આયોજન છે.જો લીઝડીડ થઈ જાય તો બિલ્ડર લાવવાની પરવાનગી રહીશોને મળશે તેમજ રિડેવલપમેન્ટમાં જે હાઉસિંગ બોર્ડની કનડગત છે એનો અંત આવશે તથા રિડેવલપમેન્ટમાં દરેકને સારા અને મોટા ઘર મળશ.ે છેલ્લે વિનોદભાઈએ વધુમાં જણાવેલ કે,જેઓના મકાનો ખરાબ હાલતમાં હોય અથવા તો જર્જરીત હાલતમાં છે તેઓએ બાંધછોડ કરીને રિડેવલપમેન્ટમાં જોડાઇ જવું હિતાવહ છે.નાગરિક સેવા સંગઠન હંમેશા આ લોકોની સાથે જ છે.જો અન્યાય થશે તો અમારો તમામ પ્રકારનો સહયોગ એમની સાથે જ હશે એવી સંગઠન વતીથી બાંહેધરી આપી હતી.

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઉસીંગ બોર્ડને નોટિસ જારી કરી
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બાંધવામાં આવેલા નિર્મલ એપાર્ટમેન્ટના સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ (GHB)ને નોટિસ જારી કરી છે.અમદાવાદ મિરરના રિપોર્ટ મુજબ અરજદારોએ દલીલ કરી છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડએ તેમની તરફેણમાં લીઝ ડીડ ડ્રો કરવી જોઈએ. જેથી તેઓ તેમની સોસાયટીના રિડેવલપમેન્ટ માટે બિલ્ડરને પોતાની રીતે પસંદ કરી શકે.
કેસની વિગતો મુજબ, નલિન પટેલ અને અન્ય સભ્યોએ અરજીમાં મુદ્દો ઉઠાવ્યો છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ લગભગ ત્રણ દાયકા પહેલા તેના દ્વારા બાંધવામાં આવેલી સોસાયટીઓના રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરે છે.જો કે, તે સમયે ગુજરાત હાઉસીંગ બોર્ડએ સોસાયટીના સભ્યોની તરફેણમાં લીઝ ડીડ ડ્રો કરી હતી. જેથી જમીન પર તેમનો પણ હક છે.

“ગુજરાત હાઉસીંગ બોર્ડએ રિડેવલપમેન્ટની કવાયત હાથ ધરી છે અને કામ માટે બિલ્ડરોની પસંદગી કરી છે. રહેવાસીઓને બિલ્ડર અને રિડેવલમેન્ટના અન્ય પાસાઓ પસંદ કરવાનો અધિકાર નથી. જો ગુજરાત હાઉસીંગ બોર્ડ એપાર્ટમેન્ટ ધારકોની તરફેણમાં લીઝ ડીડ આપે છે, તો તેઓ સમગ્ર કવાયત પોતાની જાતે કરી શકે છે. ગુજરાત હાઉસીંગ બોર્ડને રિડેવલપમેન્ટ કરવાનો અધિકાર નથી,” નાગરિક અધિકાર સંગઠનના વિનોદ ચૌહાણે જણાવ્યું હતું કે જેઓ ગુજરાત હાઉસીંગ બોર્ડ ફ્લેટ માલિકોના અવાજની આગેવાની કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...