Tuesday, January 20, 2026

રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન, જાણો શું છે તેમની માંગણી

spot_img
Share

અમદાવાદ : કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે, તો ક્યાંક ટાયરો સળગાવ્યાં છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારના અકસ્માતના નવા કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરમાં રોષ ફેલાયો છે. રાજ્યમાં ઠેર ઠેર ભારે વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ નોંધાવામા આવી રહ્યો છે. જેને લઈને હજારો વાહનો અટવાઈ પડ્યા છે. રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરોની હડતાળને પગલે આજે હજારો ભારે વાહનોના પૈડા થંભી ગયા છે.

ખેડા નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોનો ચક્કાજામ કર્યો હતો. અને મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો ચક્કજામ કરી નવા કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.
સુરતમાં પણ મોટા પ્રમાણમાં ટ્રક ડ્રાઈવરો અને સાથે BRTS અને સીટી બસ ચાલકો પણ હડતાળ પર ઉતર્યા છે. અને સુરતમાં આ મામલે ડ્રાઈવરોએ આજથી ત્રણ દિવસની હડતાળ પાડી છે.મહેસાણામાં પણ આ વિરોધની અસર જોવા મળી હતી. મહેસાણાના ખેરાલુના વૃંદાવન ચોકડી પર ડ્રાઈવરોએ દેખાવ કર્યો હતો. અને ખાનગી વાહનોના ચાલકોએ રસ્તા બ્લોક કર્યા હતો. આ સાથે વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યા હતા.
નવસારીમાં પણ ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા છે. નવસારીમાં 2 હજારથી વધુ ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. ટ્રક ચાલકોએ ચીખલી વાંસદા હાઈવે બંધ કર્યો છે.આણંદ અમૂલ ડેરીનાં 150થી વધુ ટેન્કર ચાલકો પણ હડતાળ પર ઉતર્યા છે. જેના પગલે આણંદ, ખેડા, મહીસાગરમાં દૂધ સંપાદનની કામગીરીમાં વિક્ષેપ આવ્યો છે.હડતાળને લઈ 30 લાખ લીટર દૂધ બગાડવાની શક્યતા છે.
ગીર સોમનાથમાં ટ્રક ડ્રાઇવરોની હડતાળને કારણે ચક્કાજામ સર્જાયો હતો. વેરાવળ કોડીનાર હાઇવે નજીક ટ્રકોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે સામાન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરુચમાં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર નજીક ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વાહનો થંભાવી દીધા હતા, જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

કેમ કરી રહ્યા છે વિરોધ
આ વિરોધ ભારે વાહનોના ડ્રાઈવરોને લઈ બનાવાયેલા નવા કાયદાને લઈને થઈ રહ્યો છે. આ કાયદા પ્રમાણે હિટ એન્ડ રનના કેસમાં ટ્રકચાલકો સહિતનાં મોટાં વાહનો દ્વારા અકસ્માત સર્જાય અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલે લઈ જવામાં ન આવે તો તે ટ્રકચાલક કે મોટા વાહનધારકો સામે 7 લાખનો દંડની જોગવાઈ કરવામા આવી છે આ સાથે 10 વર્ષની જેલની સજાનો કાયદો લવાયો છે.

જાણો શું છે નવો કાયદો ?
ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023માં જો કોઈ વ્યક્તિની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેમનું છૂટવું મુશ્કેલ બનશે, કેમકે, આ કાયદા મુજબ હિટ એન્ડ રનના કેસમાં ટ્રકચાલકો સહિતનાં મોટાં વાહનો દ્વારા અકસ્માત સર્જાય તો આઈપીસીની કલમ 104 હેઠળ બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે અથવા ઉતાવળ અથવા બેદરકારીભર્યા કૃત્ય દ્વારા મૃત્યુનું કારણ બને છે જેથી આ કિસ્સામાં બે વર્ષ સુધીની મુદતની કેદની સજા અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે. પરંતુ હવે પ્રસ્તાવિત બિલમાં ઓછામાં ઓછી સાત વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી હવે જો આરોપી ઘટના સ્થળેથી ભાગી જાય અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે, તે બંને સજાને પાત્ર છે, એટલે તેમને તેમને કેદ અને દંડ કરવામા આવશે. જેમાં 10 વર્ષની સજા અને 7 લાખના દંડની જોગવાઈ કરવામા આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...