Thursday, March 12, 2026

રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન, જાણો શું છે તેમની માંગણી

spot_img
Share

અમદાવાદ : કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે, તો ક્યાંક ટાયરો સળગાવ્યાં છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારના અકસ્માતના નવા કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરમાં રોષ ફેલાયો છે. રાજ્યમાં ઠેર ઠેર ભારે વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ નોંધાવામા આવી રહ્યો છે. જેને લઈને હજારો વાહનો અટવાઈ પડ્યા છે. રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરોની હડતાળને પગલે આજે હજારો ભારે વાહનોના પૈડા થંભી ગયા છે.

ખેડા નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોનો ચક્કાજામ કર્યો હતો. અને મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો ચક્કજામ કરી નવા કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.
સુરતમાં પણ મોટા પ્રમાણમાં ટ્રક ડ્રાઈવરો અને સાથે BRTS અને સીટી બસ ચાલકો પણ હડતાળ પર ઉતર્યા છે. અને સુરતમાં આ મામલે ડ્રાઈવરોએ આજથી ત્રણ દિવસની હડતાળ પાડી છે.મહેસાણામાં પણ આ વિરોધની અસર જોવા મળી હતી. મહેસાણાના ખેરાલુના વૃંદાવન ચોકડી પર ડ્રાઈવરોએ દેખાવ કર્યો હતો. અને ખાનગી વાહનોના ચાલકોએ રસ્તા બ્લોક કર્યા હતો. આ સાથે વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યા હતા.
નવસારીમાં પણ ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા છે. નવસારીમાં 2 હજારથી વધુ ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. ટ્રક ચાલકોએ ચીખલી વાંસદા હાઈવે બંધ કર્યો છે.આણંદ અમૂલ ડેરીનાં 150થી વધુ ટેન્કર ચાલકો પણ હડતાળ પર ઉતર્યા છે. જેના પગલે આણંદ, ખેડા, મહીસાગરમાં દૂધ સંપાદનની કામગીરીમાં વિક્ષેપ આવ્યો છે.હડતાળને લઈ 30 લાખ લીટર દૂધ બગાડવાની શક્યતા છે.
ગીર સોમનાથમાં ટ્રક ડ્રાઇવરોની હડતાળને કારણે ચક્કાજામ સર્જાયો હતો. વેરાવળ કોડીનાર હાઇવે નજીક ટ્રકોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે સામાન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરુચમાં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર નજીક ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વાહનો થંભાવી દીધા હતા, જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

કેમ કરી રહ્યા છે વિરોધ
આ વિરોધ ભારે વાહનોના ડ્રાઈવરોને લઈ બનાવાયેલા નવા કાયદાને લઈને થઈ રહ્યો છે. આ કાયદા પ્રમાણે હિટ એન્ડ રનના કેસમાં ટ્રકચાલકો સહિતનાં મોટાં વાહનો દ્વારા અકસ્માત સર્જાય અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલે લઈ જવામાં ન આવે તો તે ટ્રકચાલક કે મોટા વાહનધારકો સામે 7 લાખનો દંડની જોગવાઈ કરવામા આવી છે આ સાથે 10 વર્ષની જેલની સજાનો કાયદો લવાયો છે.

જાણો શું છે નવો કાયદો ?
ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023માં જો કોઈ વ્યક્તિની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેમનું છૂટવું મુશ્કેલ બનશે, કેમકે, આ કાયદા મુજબ હિટ એન્ડ રનના કેસમાં ટ્રકચાલકો સહિતનાં મોટાં વાહનો દ્વારા અકસ્માત સર્જાય તો આઈપીસીની કલમ 104 હેઠળ બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે અથવા ઉતાવળ અથવા બેદરકારીભર્યા કૃત્ય દ્વારા મૃત્યુનું કારણ બને છે જેથી આ કિસ્સામાં બે વર્ષ સુધીની મુદતની કેદની સજા અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે. પરંતુ હવે પ્રસ્તાવિત બિલમાં ઓછામાં ઓછી સાત વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી હવે જો આરોપી ઘટના સ્થળેથી ભાગી જાય અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે, તે બંને સજાને પાત્ર છે, એટલે તેમને તેમને કેદ અને દંડ કરવામા આવશે. જેમાં 10 વર્ષની સજા અને 7 લાખના દંડની જોગવાઈ કરવામા આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...