Monday, January 19, 2026

અમદાવાદમાં ફ્લાવર શોના સમયમાં કરાયો ફેરફાર, હવે આટલા વાગ્યા સુધી મળશે એન્ટ્રી

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા આયોજીત ફલાવર શો શનિવારથી શરુ થયો છે. શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ ફ્લાવર સો જોવા માટે પહોંચી રહ્યા છે. પ્રથમ દિવસ બાદ AMCએ ફ્લાવર શોના સમયમાં ફેરફાર કર્યો છે. હવે ફલાવર શો રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લો રખાશે. રાત્રિના 10 વાગ્યા સુધી એન્ટ્રી મળશે અને 11 વાગ્યા સુધી મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે. આ પહેલા રાત્રિના 9 કલાકે એન્ટ્રી પૂર્ણ કરી 10 કલાકે ફલાવર શો બંધ કરવામાં આવ્યો હતો. પ્રથમ રવિવારે મોટી સંખ્યામાં નાગરિકો આવતા AMCએ આ નિર્ણય કર્યો છે.

ફ્લાવર શોને પ્રથમ દિવસે જ ભારે પ્રતિસાદ મળ્યો હતો. જેના પગલે ફ્લાવર શોના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે હવે સહેલાણીઓને રાત્રે 10 વાગ્યા સુધી એન્ટ્રી મળશે જ્યારે 11 સુધી ફ્લાવર શોને જોઈ શકાશે. અગાઉ નવ વાગ્યા સુધી જ ટિકિટ મળતી હતી અને દસ વાગ્યા સુધી જ લોકો તેને નિહાળી શકતા હતા.

15 જાન્યુઆરી 2024 સુધી ચાલનારા ફલાવર શોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ ઉપરાંત નવા સંસદભવન, મોઢેરાના સૂર્ય મંદિર સહિતની વિવિધ પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ફુલ-છોડમાં પીટુનીયા ઉપરાંત ગજેનીયા, બિગોનીયા, તોરણીયા, મેરીગોલ્ડ,લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી,કેકટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી અને વિદેશી ફુલ-છોડના રોપા મુકવામાં આવ્યા છે.

12 વર્ષથી વધુની વયના લોકો માટે સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા ટિકિટ તથા શનિવાર અને રવિવારે 75 રુપિયા ટિકીટના દર રાખવામાં આવ્યા છે. સ્કેન કરી ઓનલાઈન પણ ટિકીટ મેળવી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...