Sunday, March 15, 2026

અમદાવાદમાં ફ્લાવર શોના સમયમાં કરાયો ફેરફાર, હવે આટલા વાગ્યા સુધી મળશે એન્ટ્રી

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા આયોજીત ફલાવર શો શનિવારથી શરુ થયો છે. શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ ફ્લાવર સો જોવા માટે પહોંચી રહ્યા છે. પ્રથમ દિવસ બાદ AMCએ ફ્લાવર શોના સમયમાં ફેરફાર કર્યો છે. હવે ફલાવર શો રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લો રખાશે. રાત્રિના 10 વાગ્યા સુધી એન્ટ્રી મળશે અને 11 વાગ્યા સુધી મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે. આ પહેલા રાત્રિના 9 કલાકે એન્ટ્રી પૂર્ણ કરી 10 કલાકે ફલાવર શો બંધ કરવામાં આવ્યો હતો. પ્રથમ રવિવારે મોટી સંખ્યામાં નાગરિકો આવતા AMCએ આ નિર્ણય કર્યો છે.

ફ્લાવર શોને પ્રથમ દિવસે જ ભારે પ્રતિસાદ મળ્યો હતો. જેના પગલે ફ્લાવર શોના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે હવે સહેલાણીઓને રાત્રે 10 વાગ્યા સુધી એન્ટ્રી મળશે જ્યારે 11 સુધી ફ્લાવર શોને જોઈ શકાશે. અગાઉ નવ વાગ્યા સુધી જ ટિકિટ મળતી હતી અને દસ વાગ્યા સુધી જ લોકો તેને નિહાળી શકતા હતા.

15 જાન્યુઆરી 2024 સુધી ચાલનારા ફલાવર શોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ ઉપરાંત નવા સંસદભવન, મોઢેરાના સૂર્ય મંદિર સહિતની વિવિધ પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ફુલ-છોડમાં પીટુનીયા ઉપરાંત ગજેનીયા, બિગોનીયા, તોરણીયા, મેરીગોલ્ડ,લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી,કેકટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી અને વિદેશી ફુલ-છોડના રોપા મુકવામાં આવ્યા છે.

12 વર્ષથી વધુની વયના લોકો માટે સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા ટિકિટ તથા શનિવાર અને રવિવારે 75 રુપિયા ટિકીટના દર રાખવામાં આવ્યા છે. સ્કેન કરી ઓનલાઈન પણ ટિકીટ મેળવી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...