Sunday, January 18, 2026

અમદાવાદમાં પોલીસનો કડક ચોકી પહેરો છતાં 201 લોકો પીધેલા પકડાયા

spot_img
Share

અમદાવાદ : ન્યૂ યર પાર્ટીને લઈને રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દારૂ પીને છાટકા કરનારા અનેક યુવકો પકડાયા હતા. ગુજરાતના વિવિધ શહેરોમાંથી દારૂ પીધેલા લોકો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ આંકડો અમદાવાદનો છે. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈ મોડી રાતે પોલીસે શહેરમાંથી કુલ 201 દારૂડિયાઓને પકડીને મહત્વની કામગીરી કરી હતી. જેમાં સૌથી વધુ દારૂ પીધેલા સરખેજ, અમરાઇવાડી, માધવપુરા, સરદારનગર, નરોડામાંથી ઝડપાયા હતા. શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ મોડીરાતે અમદાવાદ પોલીસે બ્રીથ એનેલાઈઝર સાથે 201 દારૂડિયાઓને ઝડપી લીધા હતા. જોકે, કેટલીક ગુપ્ત પાર્ટીમાં નબીરાઓ ફાવી ગયા હતા. ગઈકાલે મોડીરાતે હજારો પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તમામ પોલીસ અધિકારી, કર્મીઓ 8 વાગ્યાથી જ રોડ પર તહેનાત થઈ ગયા હતા અને આખી રાત કામગીરી કરી હતી. વાહનચાલકોને બ્રીથ એનેલાઈઝરથી ચેક કરવામાં આવ્યા હતા. પોલીસ શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સહિત 300 નાકાબંધી પોઈન્ટ-ચેકપોસ્ટ પર તહેનાત હતી. જેમની પાસે બ્રીથ એનેલાઈઝર હતા. કોઈ સ્ટંટ કરતા ઝડપાયા નથી થર્ટી ફર્સ્ટની ઉજવણી જોરશોરથી હતી.

ગુજરાતની તમામ બોર્ડર પર દારૂને અન્ય રાજ્યમાંથી આવી રહેલા નબીરાઓની પણ પોલીસે ધરપકડ કરી છે. બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોવાના કારણે તમામ ગાડીઓના ડ્રાઈવર સહિતના લોકોનું ચેકિંગ થયું હતું અને બાદમાં જેમણે દારૂ પીધો હોય તેમની ધરપકડ કરવામાં આવી હતી.શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...