Saturday, November 8, 2025

અમદાવાદમાં પોલીસનો કડક ચોકી પહેરો છતાં 201 લોકો પીધેલા પકડાયા

spot_img
Share

અમદાવાદ : ન્યૂ યર પાર્ટીને લઈને રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દારૂ પીને છાટકા કરનારા અનેક યુવકો પકડાયા હતા. ગુજરાતના વિવિધ શહેરોમાંથી દારૂ પીધેલા લોકો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ આંકડો અમદાવાદનો છે. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈ મોડી રાતે પોલીસે શહેરમાંથી કુલ 201 દારૂડિયાઓને પકડીને મહત્વની કામગીરી કરી હતી. જેમાં સૌથી વધુ દારૂ પીધેલા સરખેજ, અમરાઇવાડી, માધવપુરા, સરદારનગર, નરોડામાંથી ઝડપાયા હતા. શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ મોડીરાતે અમદાવાદ પોલીસે બ્રીથ એનેલાઈઝર સાથે 201 દારૂડિયાઓને ઝડપી લીધા હતા. જોકે, કેટલીક ગુપ્ત પાર્ટીમાં નબીરાઓ ફાવી ગયા હતા. ગઈકાલે મોડીરાતે હજારો પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તમામ પોલીસ અધિકારી, કર્મીઓ 8 વાગ્યાથી જ રોડ પર તહેનાત થઈ ગયા હતા અને આખી રાત કામગીરી કરી હતી. વાહનચાલકોને બ્રીથ એનેલાઈઝરથી ચેક કરવામાં આવ્યા હતા. પોલીસ શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સહિત 300 નાકાબંધી પોઈન્ટ-ચેકપોસ્ટ પર તહેનાત હતી. જેમની પાસે બ્રીથ એનેલાઈઝર હતા. કોઈ સ્ટંટ કરતા ઝડપાયા નથી થર્ટી ફર્સ્ટની ઉજવણી જોરશોરથી હતી.

ગુજરાતની તમામ બોર્ડર પર દારૂને અન્ય રાજ્યમાંથી આવી રહેલા નબીરાઓની પણ પોલીસે ધરપકડ કરી છે. બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોવાના કારણે તમામ ગાડીઓના ડ્રાઈવર સહિતના લોકોનું ચેકિંગ થયું હતું અને બાદમાં જેમણે દારૂ પીધો હોય તેમની ધરપકડ કરવામાં આવી હતી.શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...