Tuesday, January 20, 2026

અમદાવાદીઓ ચેતજો! નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો આ નિયમ જાણી લેજો, નહીંતર લાખ રૂપિયાનો દંડ થશે

spot_img
Share

મદાવાદ : અમદાવાદમાં નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો આ નિયમ જાણી લેજો. સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 પ્લોટ નકકી કરવામાં આવ્યા છે. નિયમ તોડનાર પાસેથી રુપિયા 25 હજારથી લઈ એક લાખ રુપિયા સુધીની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે તેમજ ડીમોલીશન વેસ્ટ પડી ના રહે એ માટે હાલ ઝોન દીઠ એક સ્કવોર્ડ કાર્યરત કરાઈ છે. શહેરમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા બનાવતી વખતે નીકળતા ડીમોલીશન વેસ્ટના નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ અમલ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં મકાનના રીપેરીંગ કે નવા બાંધકામ જેવા કારણોથી ઉતપન્ન થતા માટી,પુરણી,બિલ્ડિંગ ડેબરીઝ વગેરે નાંખવા સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 પ્લોટ નકકી કરવામાં આવ્યા છે. આ પ્લોટમાં નાગરીકોએ તેમના સ્વખર્ચે ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરાવવાનો રહેશે.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં ઉતપન્ન થતા ડીમોલીશન વેસ્ટના યોગ્ય નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો ચુસ્ત અમલ કરાવવા તંત્રને તાકીદ કરી છે.કોઈ કારણસર નાગરિકો તેમના મકાનના ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરી શકે એમ ના હોય તે સી.સી.આર.એસ. ઉપર 155303 નંબર ઉપર ફરિયાદ નોંધાવી નિયત દર ચૂકવી ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરાવી શકશે.આ એસ.ઓ.પી.સરકારી,મ્યુનિ.ના નવા પ્રોજેકટમાં પણ લાગૂ પડશે.શહેરના સાત ઝોનમાં જાહેર જગ્યા,રસ્તા કે ફુટપાથ ઉપર ડીમોલીશન વેસ્ટ પડી ના રહે એ માટે હાલ ઝોન દીઠ એક સ્કવોર્ડ કાર્યરત કરાઈ છે.

નવી એસ.ઓ.પી.મુજબ નાગરિકોના રહેણાંક -ફરિયાદના સ્થળેથી ડીમોલીશન વેસ્ટ ઉપાડવા અંગે એક ટનથી ઓછો ડીમોલીશન વેસ્ટ હોય તો પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા 500, પાંચ ટન સુધીના વેસ્ટના નિકાલ માટે પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા બે હજાર તથા પાંચ ટનથી વધુ ડીમોલીશન વેસ્ટ માટે પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા 3500 વસૂલ કરવામાં આવશે.

શહેરમાં રોડ રીસરફેસની કામગીરી દરમિયાન તોડવામા આવેલા રસ્તાઓની નીકળતી ડેબરીઝનો નિકાલ જે તે એજન્સી પાસે મ્યુનિ.ના નકકી કરવામા આવેલા પ્લોટમાં જ નિકાલ કરાવવામા આવશે.ઉપરાંત સર્વિસ પ્રોવાઈડર એજન્સીઓને ઈજનેર વિભાગ તરફથી મંજુરી આપવામાં આવી હોય તેવા ગેસ કનેકશન લાઈન,ઈલેકટ્રીક,ટેલીફોન વગેરે માટે રસ્તા ઉપર કામગીરી કરાયા બાદ માટી કે ડેબરીઝ પડી ના રહે એ માટે કામગીરી કરાશે.

ડીમોલીશન ડેબરીઝ નિકાલ માટે કયા ઝોનમાં કેટલા પ્લોટ

ઝોન પ્લોટ
પૂર્વ ચાર
પશ્ચિમ એક
ઉત્તર ત્રણ
દક્ષિણ ત્રણ
મધ્ય ત્રણ
ઉ.પ. સાત
દ.પ. ચાર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...