Tuesday, January 20, 2026

અમદાવાદનો આ વિસ્તાર 100 કરોડનો ખર્ચે વિકસાવાશે, વોક-વે, થીમ લાઈટ અને પાર્કિંગની સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં લો ગાર્ડનની આજુબાજુના 6.68 કિલોમીટર વિસ્તારને આવરી લેતા 6 રોડને ડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. રૂ. 100 કરોડના ખર્ચે આ વિસ્તારને પ્રિસીન્કટ એરિયા તરીકે વિકસાવવામાં આવશે. સી.જી રોડ બાદ હવે લો ગાર્ડન અને મીઠાખળીના આસપાસ વિસ્તારોના રોડ બનશે. જેમાં લોકો માટે પાર્કિંગ, ચાલવા માટે વોક-વે, થીમ લાઈટ અને ફૂટપાથ સહિતની સુવિધાઓ હશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશનમાં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, લો ગાર્ડનની આસપાસના રોડના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીજી રોડની જેમ વિકસાવવા માટે રૂ.100 ખર્ચ કરવામાં આવશે. આ રોડ પર શહેરીજનોને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા મળશે. રાહદારીઓને ચાલવા માટે પ્લાન્ટેશનયુક્ત વોક-વે તેમજ ફૂટપાથ હશે. નાના વેપારીઓ ધંધો કરીને રોજગાર મેળવી શકે તેના માટે વેન્ડિંગ ઝોન બનશે. ગજેબો, બેસવા માટે બેન્ચીસ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન વગેરેની સુવિધાઓ સાથે આ રોડને ડેવલોપમેન્ટ કરવામાં આવશે.

રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થા અને વિચારો રૂપે વાહનચાલકો જઈ શકે તેના માટે ટ્રાફિક સાઇનેજીમ, થર્મોપ્લાસ્ટીક, પેઇન્ટ વડે રોડ માર્કિગ અને અન્ય ટ્રાફિક એન્જિનિયરીંગને લગતી કામગીરી કરવામાં આવશે. ઇન્ટીગ્રેટેડ લેન્ડસ્કેપ લાઇટીંગ, લાઇટ પોલ, થીમ લાઇટ પણ થશે જેથી રાત્રિના સમયે પણ ત્યાં લોકો ને હરવા ફરવાની મજા આવશે. લો ગાર્ડનની આજુબાજુનો આ સમગ્ર વિસ્તાર ડેવલોપમેન્ટ થવાના કારણે લોકોને ખૂબ ફાયદો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...