Thursday, January 22, 2026

AMCનો નવતર પ્રયોગ, અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં રોડ પર લટકતી-પડેલી દોરીનો 30 કિલો જથ્થો એકત્રિત કર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. CNCD વિભાગની ત્રણેય સિફ્ટની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ રોડ ઉપર દોરી અથવા લટકતી દોરી-પતંગ દેખાય તો તેને એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ઉત્તરાયણના દિવસે એક જ દિવસમાં 30 કિલોથી વધુ દોરીનો જથ્થો રોડ ઉપરથી ભેગો કરવામાં આવ્યો હતો.

CNCD વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરાયણના દિવસે દોરીના કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે. જેને રોકવા માટે ચાલુ વર્ષે CNCD વિભાગની ટીમો દ્વારા રોડ પરથી દોરીના જથ્થાને એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં દરેક ઝોન વાઇઝ ફાળવેલી CNCD વિભાગની ટીમો દ્વારા રોડ ઉપર જ્યાં પણ દોરીના જથ્થા કે લટકતી દોરી જોવા મળે તો તેને એકત્રિત કરી લેવામાં આવતી હતી. રોડ ઉપર ક્યાંય પણ દોરી લટકતી હોય અથવા દોરી રોડ ઉપર હોય તો વાહનમાં આવી જતા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઉત્તરાયણના તહેવારના દિવસે દાન અને ગાયને ઘાસ ખવડાવવાનું પણ મહત્વ હોય છે. જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડા ખાતે CNCD વિભાગે એક અલગ પ્રકારનો શેડ ઊભો કર્યો હતો. જે પણ લોકો ગાયને ઘાસ કે અન્ય વસ્તુઓ ખવડાવવી હોય તો તેના માટે એક અલગ જ જગ્યા ઊભી કરવામાં આવી હતી.જ્યાં ઢોરવાડામાં રાખેલી ગાયોને લાવવામાં આવી હતી અને ત્યાં જ લોકો ગાયને ઘાસ, ગોળ, રોટલી વગેરે વસ્તુઓ ખવડાવતા હતા. ઉત્તરાયણના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાં 170 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી અને ઢોરવાડામાં રાખેલી ગાયને ઘાસચારો વગેરે ખવડાવી દાન પુણ્ય કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...