27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

અયોધ્યામાં રામ મંદિર પાસે બનશે ગુજરાત ભવન, ગુજરાતીઓને મળશે આ વિશેષ સુવિધા

Share

અમદાવાદ : ગુજરાતીઓ ધાર્મિક યાત્રાઓ પર મોટી સંખ્યામાં જતા હોય છે ત્યારે હવે અયોધ્યામાં નિર્માણ પામેલા અને તાજેતરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરાઈ છે તેવા ભગવાન રામના મંદિરના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ગુજરાતી પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ખરીદી લેવામાં આવી હોવાનું પણ ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણથી દેશ અને દુનિયાના નકશા પર આ શહેરનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરને જોવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં પોતાના રાજ્યના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ખરીદી છે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અયોધ્યામાં રામભક્તો માટે જમીન લીધી છે અને ગુજરાતીઓને સારી સુવિધા મળી રહે તે માટે નજીકના ભવિષ્યમાં સારી ઇમારત બનાવવામાં આવશે. સાથે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા જ અયોધ્યામાં આ કામ કરી ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે, મુંબઈ, દિલ્હી, કોલકાતા કહિત દેશના મુખ્ય શહેરોમાં ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે. જ્યાં જનાર ગુજરાતી લોકોને સસ્તા ભાવે આવાસની સુવિધા આપવામાં આવે છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા હતા. ત્યારબાદ અયોધ્યાની જમીનની કિંમતો આસમાને પહોંચવાની સાથે વેપારમાં પ્રગતિના સમાચાર મળી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં હોટલ રેસ્ટોરા સહિતના વેપારમાં તેજી જોવા મળી શકે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles