Monday, January 26, 2026

અમદાવાદ પોલીસના આ PSI એ માનવતા મહેકાવી, દેવદૂત બની મજુરની 7 વર્ષની દિકરીનું ઓપરેશન કરાવી નવું જીવન આપ્યું

spot_img
Share

અમદાવાદ : પોલીસ કાયદાના પાલન માટે કડકાઈ કરતી હોય છે પણ આ કારણે લોકોના મનમાં પોલીસની નકારાત્મક છાપ ઘર કરી ગઈ છે. પોલીસનું સૂત્ર રહ્યું છે કે પોલીસ પ્રજાનો રક્ષક અને મિત્ર છે. આ ઉક્તિ અમદાવાદ પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી છે. શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ એ વાઘેલાએ કરાવી છે. રસ્તા પર ફુલ-છોડ વેચતા એક વ્યક્તિની સાત વર્ષની દિકરીને હ્દયમાં કાણું હોવાનું પોલીસને માલુમ પડતાં તેમણે જાતે મહેનત કરીને દિકરીના હ્રદયનું ઓપરેશન કરાવી નવું જીવન આપ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઇસનપુરમાં ફુલોની નર્સરીમાં નોકરી કરતા મુકેશ કુશવાહ મૂળ આગ્રાના રહેવાસી છે. તેમની 7 વર્ષની દીકરી સતત બીમાર રહેતી હતી. હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવ્યો તો દીકરીના હદયમાં કાણું હોવાનું જાણવા મળ્યું હતું. જો સમયસર ઈલાજ નહી કરાવે તો દીકરીને ગુમાવવાનો વખત આવવાનો હતો.આ લાચાર પિતા દીકરીના ઈલાજ માટે લાખો રૂપિયા ક્યાંથી લાવશે તે આઘાતમાં હતો. ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ વાઘેલા દેવદૂત બનીને આવ્યા હતા. ફૂટપાથ પર નર્સરીને હટાવવા આવેલા PSIએ એક પિતાની વેદના સાંભળી તો તેમનું હદય પણ ભરાઈ ગયું હતું.તેમણે દિકરીની મેડીકલ ફાઈલ મંગાવીને સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી.

જ્યાં ડોક્ટરે જણાવ્યું હતું કે, દિકરીને હ્દયમાં કાણું ધીમેધીમે મોટું થઈ રહ્યો છે. જો જલ્દીથી ઓપરેશન કરવામાં નહીં આવે તો દિકરીનું બચવું મુશ્કેલ બની જશે. આ બાબત જાણી PSI બીજા જ દિવસે દિકરીના પિતાને લઈને યુ.એન. મહેતા અને સિવિલ હોસ્પિટલમાં ગયાં હતાં અને દિકરીની સારવાર કોઈ સરકારી યોજનામાં કરાવી શકાય છે કે નહીં તેની જાણકારી મેળવી હતી. જરૂરી ડોક્યુમેન્ટનો અભાવ હોવાથી સરકારી લાભ મળવાપાત્ર હતો નહીં. પણ PSIએ દિકરીના પિતાને આશ્વાસન આપ્યું કે, “આ મારી જ દિકરી છે હું એને કશું જ નહીં થવા દઉં તેની સારવાર થશે અને જલ્દીથી સારી થઈ જશે” તેમને 7 વર્ષની દીકરીના ઇલાજનો ખર્ચ સાથે આ પરિવારના ભરણપોષણ માટે પણ મદદરૂપ બન્યા હતા અને પોલીસની માનવતા અને કરુણાની છબી રજૂ કરી હતી.

PSIએ હોસ્પિટલના ઓપરેશનનો તમામ ખર્ચ તો ચૂકવ્યો પરંતુ દીકરીને દરરોજ હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવીને માતા પિતાની હિંમત પણ વધારી રહ્યા છે. કહેવાય છે કે પાંચેય આંગળીઓ સરખી નથી હોતી. તેવું પોલીસ માટે પણ કહેવાય છે. ક્યાંક પ્રેમ અને કરુણા જોવા મળે છે તો ક્યાંય ભ્રષ્ટ અને તોડબાજ છબી પણ સામે આવે છે. પરંતુ આ પરિવાર માટે તો પોલીસ ભગવાન અને દેવદૂત બનીને આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...