Wednesday, September 17, 2025

અમદાવાદ પોલીસના આ PSI એ માનવતા મહેકાવી, દેવદૂત બની મજુરની 7 વર્ષની દિકરીનું ઓપરેશન કરાવી નવું જીવન આપ્યું

Share

Share

અમદાવાદ : પોલીસ કાયદાના પાલન માટે કડકાઈ કરતી હોય છે પણ આ કારણે લોકોના મનમાં પોલીસની નકારાત્મક છાપ ઘર કરી ગઈ છે. પોલીસનું સૂત્ર રહ્યું છે કે પોલીસ પ્રજાનો રક્ષક અને મિત્ર છે. આ ઉક્તિ અમદાવાદ પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી છે. શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ એ વાઘેલાએ કરાવી છે. રસ્તા પર ફુલ-છોડ વેચતા એક વ્યક્તિની સાત વર્ષની દિકરીને હ્દયમાં કાણું હોવાનું પોલીસને માલુમ પડતાં તેમણે જાતે મહેનત કરીને દિકરીના હ્રદયનું ઓપરેશન કરાવી નવું જીવન આપ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઇસનપુરમાં ફુલોની નર્સરીમાં નોકરી કરતા મુકેશ કુશવાહ મૂળ આગ્રાના રહેવાસી છે. તેમની 7 વર્ષની દીકરી સતત બીમાર રહેતી હતી. હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવ્યો તો દીકરીના હદયમાં કાણું હોવાનું જાણવા મળ્યું હતું. જો સમયસર ઈલાજ નહી કરાવે તો દીકરીને ગુમાવવાનો વખત આવવાનો હતો.આ લાચાર પિતા દીકરીના ઈલાજ માટે લાખો રૂપિયા ક્યાંથી લાવશે તે આઘાતમાં હતો. ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ વાઘેલા દેવદૂત બનીને આવ્યા હતા. ફૂટપાથ પર નર્સરીને હટાવવા આવેલા PSIએ એક પિતાની વેદના સાંભળી તો તેમનું હદય પણ ભરાઈ ગયું હતું.તેમણે દિકરીની મેડીકલ ફાઈલ મંગાવીને સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી.

જ્યાં ડોક્ટરે જણાવ્યું હતું કે, દિકરીને હ્દયમાં કાણું ધીમેધીમે મોટું થઈ રહ્યો છે. જો જલ્દીથી ઓપરેશન કરવામાં નહીં આવે તો દિકરીનું બચવું મુશ્કેલ બની જશે. આ બાબત જાણી PSI બીજા જ દિવસે દિકરીના પિતાને લઈને યુ.એન. મહેતા અને સિવિલ હોસ્પિટલમાં ગયાં હતાં અને દિકરીની સારવાર કોઈ સરકારી યોજનામાં કરાવી શકાય છે કે નહીં તેની જાણકારી મેળવી હતી. જરૂરી ડોક્યુમેન્ટનો અભાવ હોવાથી સરકારી લાભ મળવાપાત્ર હતો નહીં. પણ PSIએ દિકરીના પિતાને આશ્વાસન આપ્યું કે, “આ મારી જ દિકરી છે હું એને કશું જ નહીં થવા દઉં તેની સારવાર થશે અને જલ્દીથી સારી થઈ જશે” તેમને 7 વર્ષની દીકરીના ઇલાજનો ખર્ચ સાથે આ પરિવારના ભરણપોષણ માટે પણ મદદરૂપ બન્યા હતા અને પોલીસની માનવતા અને કરુણાની છબી રજૂ કરી હતી.

PSIએ હોસ્પિટલના ઓપરેશનનો તમામ ખર્ચ તો ચૂકવ્યો પરંતુ દીકરીને દરરોજ હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવીને માતા પિતાની હિંમત પણ વધારી રહ્યા છે. કહેવાય છે કે પાંચેય આંગળીઓ સરખી નથી હોતી. તેવું પોલીસ માટે પણ કહેવાય છે. ક્યાંક પ્રેમ અને કરુણા જોવા મળે છે તો ક્યાંય ભ્રષ્ટ અને તોડબાજ છબી પણ સામે આવે છે. પરંતુ આ પરિવાર માટે તો પોલીસ ભગવાન અને દેવદૂત બનીને આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...