Sunday, January 18, 2026

અમદાવાદમાં નવું નજરાણું, આ વિસ્તારમાં 20 કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક પછી એક નવા નજરાણાની ભેટ મળી રહી છે. શહેરમાં અનેક એવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે જેનાથી શહેરની શોભા તો વધી જ રહી છે, સાથો સાથ નાગરિકોને હરવા ફરવાના સારા સ્થળો પણ મળી રહ્યા છે. એક બાજુ શહેરમાં યોજાયાતા ફ્લાવર શોને નીહાળવા માટે લાખો લોકો મુલાકાત લેતા હોય છે, ત્યારે હવે અમદાવાદના એક ‘લોટસ ગાર્ડન’ આકાર લેશે. શહેરના એસજી હાઇવે પર SG હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનશે. આ લોટસ ગાર્ડનમાં આખા દેશમાં જે પ્રજાતીના ફૂલો છે, તે અહીં પ્રદર્શનમાં મૂકાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા વર્ષ-2024-25 નું સુધારા સાથેનુ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે.આ બજેટમાં શહેરના એસ.જી.હાઈવે ઉપર આવેલી જગ્યામાં લોટસ ગાર્ડન ડેવલપ કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.લોટસ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા જેનો સંસ્કૃતમાં કૌસુમ અર્થ થાય છે તેને કમળ આકારમાં તૈયાર કરવામા આવશે.કમળની દરેક પાંખડી દેશના અલગ અલગ રાજયના ફુલોનુ પ્રદર્શન કરવામાં આવશે.આ ગાર્ડન એક જ જગ્યાએ ભારતના તમામ રાજ્યોના ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ પાર્ક હશે.

આ પ્રોજેક્ટનો આકાર કમળના રૂપમાં હશે, જ્યાં દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલનું પ્રદર્શન કરશે. સાથે જ આ દરેક પાંખડી ટેબ્લેટ વડે ટેક્નોલોજીના માધ્યમથી નિયંત્રિત કરી શકાશે. તે ઉપરાંત ભેજ, તાપમાન અને દરેક વસ્તુને પણ નિયંત્રિત કરી શકાશે, જે વિવિધ પ્રદેશના ફૂલોને ઉગાડવા માટે જરૂરી હોય છે.સાબરમતી રિવરફ્રન્ટ પાર્ક એક લેન્ડ માર્ક બન્યું છે, ત્યારે હવે એસજી હાઇવે પર આ લોટસ ગાર્ડન બનાવવાનું આયોજન છે.

આવી જ રીતે ફ્લોરલ મ્યુઝિયમ વિશ્વના વિવિધ ભાગોના વિવિધ ફૂલોનું પ્રદર્શન કરશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે.સિવિલ, ઇલેક્ટ્રિકલ, સ્ટ્રક્ચરલ, MEP, ટેક્નોલોજી, આસપાસના લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધાઓ, પાર્કિંગ વગેરે જેવી સુવિદ્યાઓ સાથે પાર્ક બનાવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...