Tuesday, January 20, 2026

રાણીપમાં એક મકાનમાંથી જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા, 287 બોટલ દારૂ મળી આવ્યો

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં દારૂ-જુગાર પર પ્રતિબંધ હોવા છતાં રોજ મોટી સંખ્યામાં દારૂ પકડાય છે. ત્યારે રાણીપના એક મકાનમાં બુટલેગર જુગારધામ પણ ચલાવતો હતો અને મકાનમાં જ દારૂ વેચતો હતો. જે અંગેની પોલીસને જાણ થતાં રેડ કરી હતી. ત્યારે મકાનમાંથી જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા અને દારૂ તથા બિયર મળી કુલ 287 બોટલ મળી આવી છે. આ અંગે મકાન માલિક ભગાજી ઠાકોર સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ઝોન-2 ડીસીપીના LCB સ્કોડે બાતમીના આધારે રાણીપ પાણીની ટાંકી પાછળ આવેલા ભાવના ટેનામેન્ટના મકાનમાં રેડ કરી હતી. જે મકાન ભગાજી ઠાકોર નામના વ્યક્તિનું હતું. મકાનમાં રેડ કરતા જ અંદર છ લોકો જુગાર રમતા હતા અને આ જુગાર ભગાજી ઠાકોર જ રમાડી રહ્યો હતો. આ ઉપરાંત મકાનમાં તપાસ કરતા અલગ અલગ જગ્યાએથી દારૂની 192 બોટલ અને બિયરની 95 બોટલ મળી આવી હતી. કુલ 283 દારૂની બોટલ પણ મળી આવી હતી.પોલીસે દારૂ સહિત 4.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી પોતાના ઘરમાં જ જુગારધામ ચલાવતો હતો અને પોતાના ઘરેથી જ દારૂનું વેચાણ પણ કરતો હતો. આરોપીને રાણીપ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જુગાર રમતા ઝડપાયેલ લોકો….
(1) ભગાજી ખોડાજી ઠાકોર……………….ભાવના ટેનામેન્ટ, રાણીપ
(2) કિર્તીભાઈ કાંતિલાલ પંચાલ………….સેક્ટર-૦1, નિર્ણયનગર
(3) રાજુભાઈ જિનેશ્વર પ્રસાદ શર્મા……….શ્રીપાલનગર, ચાંદખેડા
(4) ખોડાભાઈ જયંતીભાઈ પટેલ…………અમીપાર્ક સોસાયટી રાણીપ
(5) કુકારામ ઓગણજી પવાર……………આકાશગંગા સોસાયટી ચાંદખેડા
(6) કમલેશભાઈ જગદીશભાઈ પટેલ…….અંબિકા કૃપા સોસાયટી રાણીપ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...