અમદાવાદ : અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા મ્યુનિ.તંત્ર દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે. શહેરમાં આવેલી સોસાયટીઓની બહાર કચરો જોવા મળે તો સોસાયટી પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવા તથા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ ઉપર કચરો નાંખનારા સામે પણ કાર્યવાહી કરવા AMC કમિશનરે આદેશ કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે AMC કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મ્યુનિના વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. AMC કમિશનરે ધુમ્રપાન પ્રતિબંધના અભિયાનને વધુમા વધુ સુધી પહોંચાડવાની સાથે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર કચરો આવતો હોય તો સોસાયટી પાસેથી વહીવટી ચાર્જ વસૂલવા બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે એક સમયે શહેરમાં અનેક સ્થળે કચરો નાંખવા સિલ્વર ટ્રોલી મુકવામાં આવી હતી. બાદમાં કોર્ટના આદેશ બાદ મોટાભાગના સ્થળેથી સિલ્વર ટ્રોલી AMC તંત્ર દ્વારા ઉપાડી લેવામાં આવીછે. હાલમાં શહેરમાં અંદાજે વીસ જેટલા સ્પોટ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ છે.


