Monday, January 26, 2026

આવનાર મે મહિનામાં 13 દિવસ બેન્કો બંધ રહેશે, જાણી લો રજાની તારીખો

spot_img
Share

અમદાવાદ : મે મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે જે લોકો બેંકને લગતા કામકાજ ફટાફટ પતાવવા ઇચ્છતા હોય તેઓએ અગાઉથી જ મે મહિનાની રજાઓ જોઇ લેવી જોઈએ. જેથી તમારે ધક્કા ખાવાના દહાડા ના આવે અને તમારું કામ પણ ફટાફટ પૂર્ણ થઇ જાય.

RBIના કેલેન્ડર અનુસાર મે મહિનાના શરૂઆતમાં સતત 4 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ દરેક રાજ્યો અને ત્યાના સ્થાનિક તહેવારો અનુસાર અલગ અલગ હોય છે. તમને જણાવી દઈએ કે, આ યાદી આઈબીઆઈ દ્વારા ચાર આધારે બનાવવામાં આવે છે. આ લીસ્ટ દેશભરમાં સેલિબ્રેટ થતા તહેવારો અને રાજ્યોના હિસાબે હોય છે.

રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત કેટલીક રજાઓ રાજ્ય અનુસાર પણ હોય છે. રિપોર્ટ અનુસાર મે મહિનામાં અલગ અલગ ઝોનમાં કુલ 31 દિવસમાંથી 13 દિવસ બેંક બંધ રહેશે.

બેંકોએ ગ્રાહકોને કરી અપીલ

બેંકો તરફથી ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, મે મહિનામાં બેંકો પર જતા પહેલા રજાઓની યાદી જોઈલે. બધા ગ્રાહકોએ એ દિવસોની યાદી જોઈ લેવી જોઈએ જે દિવસે તેમના રાજ્યમાં બેંકોની રજા રહેશે.

મે મહિનામાં બેંક રજાઓની યાદી

1 મે ​​2022: મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ. દેશભરમાં બેંકો બંધ. આ દિવસે રવિવારની પણ રજા રહેશે.
2 મે 2022: મહર્ષિ પરશુરામ જયંતિ – ઘણા રાજ્યોમાં રજા
3 મે, 2022: ઈદ-ઉલ-ફિત્ર, બસવા જયંતિ (કર્ણાટક)
4 મે 2022: ઈદ-ઉલ-ફિતર, (તેલંગાણા)
9 મે 2022: ગુરુ રવિન્દ્રનાથ જયંતિ – પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા
14 મે 2022: બીજા શનિવારની બેંકોમાં રજા
16 મે 2022: બુધ પૂર્ણિમા
24 મે 2022: કાઝી નઝારુલ ઈસ્માલનો જન્મદિવસ – સિક્કિમ
28 મે 2022: ચોથા શનિવારે બેંકોમાં રજા

મે 2022 માં વીકેન્ડની રજાઓ

1 મે ​​2022 : રવિવાર
8 મે 2022 : રવિવાર
15 મે 2022 : રવિવાર
22 મે 2022 : રવિવાર
29 મે 2022 : રવિવાર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...