Tuesday, September 16, 2025

આવનાર મે મહિનામાં 13 દિવસ બેન્કો બંધ રહેશે, જાણી લો રજાની તારીખો

Share

Share

અમદાવાદ : મે મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે જે લોકો બેંકને લગતા કામકાજ ફટાફટ પતાવવા ઇચ્છતા હોય તેઓએ અગાઉથી જ મે મહિનાની રજાઓ જોઇ લેવી જોઈએ. જેથી તમારે ધક્કા ખાવાના દહાડા ના આવે અને તમારું કામ પણ ફટાફટ પૂર્ણ થઇ જાય.

RBIના કેલેન્ડર અનુસાર મે મહિનાના શરૂઆતમાં સતત 4 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ દરેક રાજ્યો અને ત્યાના સ્થાનિક તહેવારો અનુસાર અલગ અલગ હોય છે. તમને જણાવી દઈએ કે, આ યાદી આઈબીઆઈ દ્વારા ચાર આધારે બનાવવામાં આવે છે. આ લીસ્ટ દેશભરમાં સેલિબ્રેટ થતા તહેવારો અને રાજ્યોના હિસાબે હોય છે.

રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત કેટલીક રજાઓ રાજ્ય અનુસાર પણ હોય છે. રિપોર્ટ અનુસાર મે મહિનામાં અલગ અલગ ઝોનમાં કુલ 31 દિવસમાંથી 13 દિવસ બેંક બંધ રહેશે.

બેંકોએ ગ્રાહકોને કરી અપીલ

બેંકો તરફથી ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, મે મહિનામાં બેંકો પર જતા પહેલા રજાઓની યાદી જોઈલે. બધા ગ્રાહકોએ એ દિવસોની યાદી જોઈ લેવી જોઈએ જે દિવસે તેમના રાજ્યમાં બેંકોની રજા રહેશે.

મે મહિનામાં બેંક રજાઓની યાદી

1 મે ​​2022: મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ. દેશભરમાં બેંકો બંધ. આ દિવસે રવિવારની પણ રજા રહેશે.
2 મે 2022: મહર્ષિ પરશુરામ જયંતિ – ઘણા રાજ્યોમાં રજા
3 મે, 2022: ઈદ-ઉલ-ફિત્ર, બસવા જયંતિ (કર્ણાટક)
4 મે 2022: ઈદ-ઉલ-ફિતર, (તેલંગાણા)
9 મે 2022: ગુરુ રવિન્દ્રનાથ જયંતિ – પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા
14 મે 2022: બીજા શનિવારની બેંકોમાં રજા
16 મે 2022: બુધ પૂર્ણિમા
24 મે 2022: કાઝી નઝારુલ ઈસ્માલનો જન્મદિવસ – સિક્કિમ
28 મે 2022: ચોથા શનિવારે બેંકોમાં રજા

મે 2022 માં વીકેન્ડની રજાઓ

1 મે ​​2022 : રવિવાર
8 મે 2022 : રવિવાર
15 મે 2022 : રવિવાર
22 મે 2022 : રવિવાર
29 મે 2022 : રવિવાર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...