Thursday, January 15, 2026

અમદાવાદમાં એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂંક અને બદલી કરીને પોસ્ટિંગ અપાયા

spot_img
Share

અમદાવાદ : શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરોની મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. 62 પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂંક અને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જેમાં 28 પોલીસ ઇન્સ્પેક્ટરને લિવ રિઝર્વમાંથી શહેરમાં પોસ્ટિંગ ફાળવવામાં આવ્યા છે, જયારે બદલી સાથે આવેલાં 34 પોલીસ ઇન્સ્પેક્ટરને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ બદલી અને નિમણૂંક પારદર્શકતા સાથે મેરીટના આધારે કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ચૂંટણીલક્ષી બદલીઓ થઈ અને તેમાં સંખ્યાબંધ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી અમદાવાદ શહેરમાંથી અન્ય જગ્યાએ થઈ ગઈ હતી. જેના કારણે અમદાવાદ શહેરના ઘણા મોટા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જમાં ચાલી રહ્યાં હતાં અને આ જગ્યાઓ ભરવા માટે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે આજે (8 માર્ચ, 2024) અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. મોટા પાયે પારદર્શિતા રહે તે પ્રકારે બદલી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદના સોલા, ઘાટલોડિયા, નારણપુરા, સરખેજ, વેજલપુર, પાલડી, આનંદનગર, સેટેલાઈટ, ચાંદખેડા અને સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ PI સાથે ચાલી રહ્યા છે. જયારે એરપોર્ટ, કૃષ્ણનગર, સરદારનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી અને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પણ PI જ નથી.આમ અમદાવાદ શહેરમાં એક સાથે 62 ઇન્સ્પેક્ટરની બદલી થવાથી પોલીસ બેડામાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...