Friday, March 13, 2026

અમદાવાદમાં BRTS બસના ડ્રાઇવરની દાદાગીરી આવી સામે, પેસેન્જરોનો અધવચ્ચે ઉતારી દેતા હોબાળો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર BRTS બસના ડ્રાઈવરોની દાદાગીરીના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યે RTO સર્કલથી ઉપડતી 12 નંબરની બસને ડ્રાઈવર દ્વારા અંજલી ચાર રસ્તા અથવા તો દાણીલીમડાની આસપાસ જ્યારે પહોંચે ત્યારે કોઇ કારણોસર બસ બગડી ગઈ છે અથવા બંધ પડી ગઈ છે તેમ કહીને પેસેન્જરને ઉતારી દેવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આ રીતે પેસેન્જર હેરાન થતાં આજે રાત્રે પેસેન્જરોએ અંજલી ચાર રસ્તા પાસે બસ ઉભી રાખતા હોબાળો મચાવ્યો હતો. પેસેન્જરોએ ભેગા મળી હલ્લાબોલ કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ફરી એક વાર BRTS ના ડ્રાઈવર દ્વારા દાદાગીરીની સામે આવી છે. છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યે RTO સર્કલથી ઉપડતી 12 નંબરની બસને ડ્રાઈવર દ્વારા અંજલી ચાર રસ્તા અથવા તો દાણીલીમડાની આસપાસ જ્યારે પહોંચે ત્યારે કોઇ કારણોસર બસ બગડી ગઈ છે અથવા બંધ પડી ગઈ છે તેમ કહીને પેસેન્જરને ઉતારી દેવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આ રીતે પેસેન્જર હેરાન થતાં આજે રાત્રે પેસેન્જરોએ અંજલી ચાર રસ્તા પાસે બસ ઉભી રાખતા હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત BRTS નંબર 12 ના ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણક કરવામાં આવી છે. શરૂઆતમાં મુસાફરોને બસ બગડી ગઈ તેવું કહીને નીચે ઊતરાયા હતા. ખાસ કરીને મહિલાઓ પણ આ બસમાં હોય છે તેમ છતાં પણ ડ્રાઇવરોની દાદાગીરીના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડે છે.આ ઘટના સતત 5 થી 6 દિવસથી થતી હોવાનું મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પરંતુ આજરોજ મુસાફરો બસમાંથી નહીં ઉતારતા તેમના જીવને જોખમમાં મૂક્યો હતો. તે ઉપરાંત જ્યારે બસના મુસાફરો દ્વાર સવાલો કરવામાં આવ્યા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે, ઈલેક્ટ્રિક બસ હોવાથી બસને ભારે લોડ પડી રહ્યો છે. BRTS નંબર 12 ના ડ્રાઈવર દ્વારા મુસાફરોને બસમાં બેસી બસનો દરવાજો ખુલ્લો રાખીને બસ ચલાવી હતી. ત્યારે આ મામલે મુસાફરો દ્વારા BRTS બસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...