અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર BRTS બસના ડ્રાઈવરોની દાદાગીરીના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યે RTO સર્કલથી ઉપડતી 12 નંબરની બસને ડ્રાઈવર દ્વારા અંજલી ચાર રસ્તા અથવા તો દાણીલીમડાની આસપાસ જ્યારે પહોંચે ત્યારે કોઇ કારણોસર બસ બગડી ગઈ છે અથવા બંધ પડી ગઈ છે તેમ કહીને પેસેન્જરને ઉતારી દેવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આ રીતે પેસેન્જર હેરાન થતાં આજે રાત્રે પેસેન્જરોએ અંજલી ચાર રસ્તા પાસે બસ ઉભી રાખતા હોબાળો મચાવ્યો હતો. પેસેન્જરોએ ભેગા મળી હલ્લાબોલ કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ફરી એક વાર BRTS ના ડ્રાઈવર દ્વારા દાદાગીરીની સામે આવી છે. છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યે RTO સર્કલથી ઉપડતી 12 નંબરની બસને ડ્રાઈવર દ્વારા અંજલી ચાર રસ્તા અથવા તો દાણીલીમડાની આસપાસ જ્યારે પહોંચે ત્યારે કોઇ કારણોસર બસ બગડી ગઈ છે અથવા બંધ પડી ગઈ છે તેમ કહીને પેસેન્જરને ઉતારી દેવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આ રીતે પેસેન્જર હેરાન થતાં આજે રાત્રે પેસેન્જરોએ અંજલી ચાર રસ્તા પાસે બસ ઉભી રાખતા હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત BRTS નંબર 12 ના ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણક કરવામાં આવી છે. શરૂઆતમાં મુસાફરોને બસ બગડી ગઈ તેવું કહીને નીચે ઊતરાયા હતા. ખાસ કરીને મહિલાઓ પણ આ બસમાં હોય છે તેમ છતાં પણ ડ્રાઇવરોની દાદાગીરીના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડે છે.આ ઘટના સતત 5 થી 6 દિવસથી થતી હોવાનું મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પરંતુ આજરોજ મુસાફરો બસમાંથી નહીં ઉતારતા તેમના જીવને જોખમમાં મૂક્યો હતો. તે ઉપરાંત જ્યારે બસના મુસાફરો દ્વાર સવાલો કરવામાં આવ્યા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે, ઈલેક્ટ્રિક બસ હોવાથી બસને ભારે લોડ પડી રહ્યો છે. BRTS નંબર 12 ના ડ્રાઈવર દ્વારા મુસાફરોને બસમાં બેસી બસનો દરવાજો ખુલ્લો રાખીને બસ ચલાવી હતી. ત્યારે આ મામલે મુસાફરો દ્વારા BRTS બસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવામાં આવી હતી.


