Tuesday, January 20, 2026

અમદાવાદમાં BRTS બસના ડ્રાઇવરની દાદાગીરી આવી સામે, પેસેન્જરોનો અધવચ્ચે ઉતારી દેતા હોબાળો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર BRTS બસના ડ્રાઈવરોની દાદાગીરીના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યે RTO સર્કલથી ઉપડતી 12 નંબરની બસને ડ્રાઈવર દ્વારા અંજલી ચાર રસ્તા અથવા તો દાણીલીમડાની આસપાસ જ્યારે પહોંચે ત્યારે કોઇ કારણોસર બસ બગડી ગઈ છે અથવા બંધ પડી ગઈ છે તેમ કહીને પેસેન્જરને ઉતારી દેવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આ રીતે પેસેન્જર હેરાન થતાં આજે રાત્રે પેસેન્જરોએ અંજલી ચાર રસ્તા પાસે બસ ઉભી રાખતા હોબાળો મચાવ્યો હતો. પેસેન્જરોએ ભેગા મળી હલ્લાબોલ કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ફરી એક વાર BRTS ના ડ્રાઈવર દ્વારા દાદાગીરીની સામે આવી છે. છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યે RTO સર્કલથી ઉપડતી 12 નંબરની બસને ડ્રાઈવર દ્વારા અંજલી ચાર રસ્તા અથવા તો દાણીલીમડાની આસપાસ જ્યારે પહોંચે ત્યારે કોઇ કારણોસર બસ બગડી ગઈ છે અથવા બંધ પડી ગઈ છે તેમ કહીને પેસેન્જરને ઉતારી દેવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આ રીતે પેસેન્જર હેરાન થતાં આજે રાત્રે પેસેન્જરોએ અંજલી ચાર રસ્તા પાસે બસ ઉભી રાખતા હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત BRTS નંબર 12 ના ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણક કરવામાં આવી છે. શરૂઆતમાં મુસાફરોને બસ બગડી ગઈ તેવું કહીને નીચે ઊતરાયા હતા. ખાસ કરીને મહિલાઓ પણ આ બસમાં હોય છે તેમ છતાં પણ ડ્રાઇવરોની દાદાગીરીના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડે છે.આ ઘટના સતત 5 થી 6 દિવસથી થતી હોવાનું મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પરંતુ આજરોજ મુસાફરો બસમાંથી નહીં ઉતારતા તેમના જીવને જોખમમાં મૂક્યો હતો. તે ઉપરાંત જ્યારે બસના મુસાફરો દ્વાર સવાલો કરવામાં આવ્યા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે, ઈલેક્ટ્રિક બસ હોવાથી બસને ભારે લોડ પડી રહ્યો છે. BRTS નંબર 12 ના ડ્રાઈવર દ્વારા મુસાફરોને બસમાં બેસી બસનો દરવાજો ખુલ્લો રાખીને બસ ચલાવી હતી. ત્યારે આ મામલે મુસાફરો દ્વારા BRTS બસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...