Saturday, January 24, 2026

નવા વાડજમાં ગાંઠિયાના વેપારીના પુત્રના ધોરણ 12 સાયન્સમાં આવ્યા 94%, ડોકટર બનવાનું છે સ્વપ્ન

spot_img
Share

અમદાવાદ: આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ત્યારે અમદાવાદ શહેરમાં નવા વાડજમાં ગાઠીયાના વેપારીના પુત્ર યોગીરાજ કાચાએ સતત વાંચન કરી ધોરણ 12 સાયન્સમાં સફળતા મેળવી છે. 94 ટકા અને 98 પર્સેન્ટાઇલ છે. જ્યારે ગુજકેટમાં 95 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. યોગીરાજે ધોરણ 12માં ધાર્યું પરિણામ મેળવ્યું છે અને હવે તે મેડિકલ લાઈનમાં આગળ વધી ડોકટર બનવાનું સ્વપ્ન સેવી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે, ધોરણ 12 સાયન્સના પરિણામમાં નવા વાડજ વિસ્તારમાં રહેતા યોગીરાજ કાચાએ ધોરણ 12 સાયન્સમાં 94 ટકા અને 98 પર્સેન્ટાઇલ છે. જ્યારે ગુજકેટમાં 95 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. યોગીરાજ કાચાના પિતા અતુલભાઈ અને કાકા જયેશભાઇ નવા વાડજમાં ભીમજીપુરા વિસ્તારમાં ગાંઠીયા ફરસાણની દુકાન ચલાવે છે. કાકા જયેશભાઇ જણાવે છે કે આ પરિણામ મેળવવા યોગીરાજે તનતોડ મહેનત કરી છે. આ પરિણામ ઉત્કૃષ્ટ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ખાસ કરીને માવતર ગળગળા થઈ ગયા હતા.

યોગીરાજ કાચા જણાવે છે કે, પિતાએ ગાંઠિયાની દુકાન પર એટલી મહેનત કરી છે અને મને ભણાવવામાં પણ મહેનત કરી છે. જેથી હવે હું મેડિકલ લાઈનમાં આગળ વધી ડોકટર બની પિતાને હવે આરામ આપવા ઈચ્છું છું. ધોરણ 12 સાયન્સમાં આ પરિણામ મેળવવા રોજ આઠથી દસ કલાક વાંચન કરતો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...