અમદાવાદ: આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ત્યારે અમદાવાદ શહેરમાં નવા વાડજમાં ગાઠીયાના વેપારીના પુત્ર યોગીરાજ કાચાએ સતત વાંચન કરી ધોરણ 12 સાયન્સમાં સફળતા મેળવી છે. 94 ટકા અને 98 પર્સેન્ટાઇલ છે. જ્યારે ગુજકેટમાં 95 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. યોગીરાજે ધોરણ 12માં ધાર્યું પરિણામ મેળવ્યું છે અને હવે તે મેડિકલ લાઈનમાં આગળ વધી ડોકટર બનવાનું સ્વપ્ન સેવી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે, ધોરણ 12 સાયન્સના પરિણામમાં નવા વાડજ વિસ્તારમાં રહેતા યોગીરાજ કાચાએ ધોરણ 12 સાયન્સમાં 94 ટકા અને 98 પર્સેન્ટાઇલ છે. જ્યારે ગુજકેટમાં 95 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. યોગીરાજ કાચાના પિતા અતુલભાઈ અને કાકા જયેશભાઇ નવા વાડજમાં ભીમજીપુરા વિસ્તારમાં ગાંઠીયા ફરસાણની દુકાન ચલાવે છે. કાકા જયેશભાઇ જણાવે છે કે આ પરિણામ મેળવવા યોગીરાજે તનતોડ મહેનત કરી છે. આ પરિણામ ઉત્કૃષ્ટ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ખાસ કરીને માવતર ગળગળા થઈ ગયા હતા.
યોગીરાજ કાચા જણાવે છે કે, પિતાએ ગાંઠિયાની દુકાન પર એટલી મહેનત કરી છે અને મને ભણાવવામાં પણ મહેનત કરી છે. જેથી હવે હું મેડિકલ લાઈનમાં આગળ વધી ડોકટર બની પિતાને હવે આરામ આપવા ઈચ્છું છું. ધોરણ 12 સાયન્સમાં આ પરિણામ મેળવવા રોજ આઠથી દસ કલાક વાંચન કરતો હતો.


