Sunday, January 25, 2026

અમદાવાદના આ વિસ્તારમાં 65 વર્ષ જૂની સોસાયટીના રિડેવલપમેન્ટને હાઈકોર્ટની મંજૂરી

spot_img
Share

અમદાવાદ: શહેરનાં ઉસ્માનપુરા વિસ્તારમાં સાબરમતી રિવરફ્રંટ પર આવેલ 65 વર્ષ જૂની સોસાયટીના રિડેવલપમેન્ટને ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી દેતા તેનો વિરોધ કરી રહેલા ચાર સભ્યોને બે મહિનામાં પોતાના ફ્લેટ ખાલી કરી દેવા માટે આદેશ કર્યો છે.આ સોસાયટીના મોટાભાગના સભ્યો રિડેવલપમેન્ટની તરફેણમાં હતા, પરંતુ સોસાયટીમાં ચાર મેમ્બર્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા મામલો ઘોંચમાં પડ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી નિર્મલકુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી 2001માં આવેલા ભૂકંપ વખતે ખાસ્સી ડેમેજ થઈ હતી અને હાલ તે સાવ જર્જરિત અવસ્થામાં આવી ચૂકી છે. ભૂકંપ બાદ આ સોસાયટીનું ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા ભૂકંપ રાહત ફંડ હેઠળ સમારકામ પણ કરવામાં આવ્યું હતું. જોકે, 2008થી કોર્પોરેશન દ્વારા આ સોસાયટીના ત્રણ બ્લોક્સને રિપેર કરાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે, અને તેના માટે બે વાર સોસાયટીને નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી છે. આ સોસાયટીના કુલ 18 મેમ્બર્સ દ્વારા રિડેવલપમેન્ટની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચાર મેમ્બર્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા આ મેટર કોર્ટમાં પહોંચી હતી.

રિડેવલપમેન્ટની તરફેણમાં રહેલા મેમ્બર્સ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી પિટિશનમાં ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ સોસાયટીનું રિડેવલપમેન્ટ કરવા માગ કરવામાં આવી હતી. જેમાં એવો દાવો પણ કરાયો હતો કે સોસાયટી 25 વર્ષથી ખૂબ જ જૂની છે અને સોસાયટીના 75 ટકા મેમ્બર્સ રિડેવલપમેન્ટની તરફેણમાં હોવાથી નિયમ અનુસાર તેનું રિડેવલપમેન્ટ થઈ શકે છે. કોર્ટમાં સોસાયટીએ એવી રજૂઆત પણ કરી હતી કે હાલ તેનું રિપેરિંગ કરી શકાય તેવી કોઈ શક્યતા નથી અને જો તેનું સમારકામ કરવું હોય તો તે પાયાથી કરવું પડે તેમ છે. તો બીજી તરફ રિડેવલપમેન્ટનો વિરોધ કરી રહેલા સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના અમુક સભ્યો અને બિલ્ડર ભેગા મળીને કાવાદાવા કરી રહ્યા છે, જેમાં કેટલાક મેમ્બર્સનું નાણાંકીય હિત સચવાઈ રહ્યું છે.

રિડેવલપમેન્ટના વિરોધમાં રહેલા મેમ્બર્સે સમગ્ર પ્રક્રિયાની પારદર્શકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, હાઈકોર્ટે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિરોધ અને વાંધાને ફગાવી દઈને પોતાના ફ્લેટ ખાલી કરી આઠ સપ્તાહમાં તેનું પઝેશન સોંપી દેવા માટે આદેશ કર્યો હતો. રિવરફ્રંટને અડીને આવેલી નિર્મલકુંજ સોસાયટી સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આવે છે, જેના રિડેવલપમેન્ટ માટે 2018થી જ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ સોસાયટી હાલ એવી સ્થિતિમાં છે કે તેનો સી બ્લોક એક તરફથી નમી રહ્યો છે. ફેબ્રુઆરી 2019માં સ્ટ્રક્ચર એન્જિનિયર્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે લીકેજને કારણે સોસાયટીના કેટલાક બ્લોકના ફાઉન્ડેશન નબળા પડી ગયા છે.

અમદાવાદની અનેક જૂની સોસાયટીના હાલ રિડેવલપમેન્ટ થઈ રહ્યા છે, પરંતુ તેમાં કેટલીક સોસાયટીના અમુક સભ્યો રિડેવલપમેન્ટની પ્રોસેસથી સંતુષ્ટ ના હોવાથી તેમજ બીજા કારણોસર તેનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે સોસાયટીના રિડેવલપમેન્ટનું કામકાજ ખોરંભે ચઢવાની સાથે આવા કેસ કોર્ટમાં પણ પહોંચતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...