Saturday, January 17, 2026

અમદાવાદમાં ફરી બેફામ બની AMTS, એક સાથે આઠ વાહનના ભુક્કા બોલાવી દીધા, 5 લોકો ઘાયલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. શહેરના જોધપુર ચાર રસ્તા પર AMTS બસ ચાલકે ટક્કર મારતા 8 જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. એક સાથે આઠ વાહનો એકબીજા સાથે અથડાતા વાહનોને ભારે નુકશાન થયું છે, જયારે આ અકસ્માતમાં ચારથી પાંચ લોકોને ઈજાઓ પહોંચી છે. AMTS બસની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો.આ બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ જોધપુર ચાર રસ્તા પાસે સેટેલાઇટ સ્ટાર બઝાર સિગ્નલ લાઈટ ઉપર રેડ લાઈટમાં ઉભેલ અને સિગ્નલ ચાલુ થતા બસ ની આગળની કાર આર્ટિગા રીક્ષા અને અન્ય વ્હીકલ પડેલ જેમાં સૌથી આગળના વ્હીકલને આકસ્મિક બ્રેક મારવાથી તેની પાછળના વ્હીકલ લાઈનબંધ અથડાઈ ગયેલ જેમાં AOT.10 ની બ્રેક સ્લિપ થઈ જવાથી આગળના વાહનો આશરે ચાર-પાંચ ફૂટ ઢસડાવાથી આગળની કારને નુકશાન થયેલ અને અંદર કારમાં બેસેલ ત્રણ વ્યકિતને ઇજા થવાથી 108 મારફતે સારવાર અર્થે લઈ ગયેલ છે તેમજ ઉશ્કેરાયેલા પબ્લિકે ડ્રાયવરને માર મારેલ છે બસ હાલ પોલીસ સ્ટેશનમાં જમા લીધેલ છે.

151 હાટકેશ્વર ઘૂમા જતી AMTS બસ હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.અકસ્માત અંગેની જાણ થતાં એમબ્યુલેન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચી AMTSના ડ્રાઈવરની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...