Thursday, March 12, 2026

અમદાવાદના હોમગાર્ડ જવાનની હેવા’નિયત’, મદદના બહાને રાજસ્થાનની યુવતીને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

spot_img
Share

અમદાવાદ : રાજસ્થાનના ઉદેપુરની યુવતી અમદાવાદ ફરવા આવી હતી. ગીતા મંદિર ખાતે બસ ન મળતા તે રિક્ષામાં બેસીને નોબલ નગર ખાતે આવી પહોંચી હતી આ સમયે રાતે મોડું થઇ ગયું હતું, જ્યાં મદદ કરવાના બહાને હોમગાર્ડ જવાને તેને નાના ચિલોડા પાસે હોટલમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે યુવતીએ હોમગાર્ડ જવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોધાવતા નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી 24 વર્ષીય યુવતી 11મી મેના રોજ અમદાવાદમાં ફરવા આવી હતી અને 12મી મેના રોજ અમદાવાદ પહોંચ્યા તે રિવરફ્રન્ટ, વૈષ્ણોદેવી મંદિર, ગાંધી આશ્રમ અને કાંકરિયા જેવી અલગ અલગ જગ્યાઓ પર ફરી હતી. રાત્રે 10 વાગ્યા આસપાસ રાજસ્થાન પરત જવા માટે ગીતામંદિર એસટી સ્ટેન્ડ પહોંચી હતી, જ્યાં જમવા જતા ઉદેપુર ખાતે જતી બસ નીકળી ગઈ હતી. આસપાસના લોકોએ તેને ચિલોડાથી ઉદેપુરની બસ મળી જશે તેવું કહેતા તે રિક્ષામાં બેસીને ચિલોડા બાજુ પહોંચી હતી. જ્યાં હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડનો પોઇન્ટ હતો અને હોમગાર્ડ જવાન વર્ધીમાં હોય રાતનો સમય હોય યુવતીએ તેના પર વિશ્વાસ કરી મદદ માગી હતી.

આરોપી હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડ નરોડા વિસ્તારનો રહેવાસી છે.. પરિણીત અને દોઢ માસના બાળકનો પિતા છે.. 4 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતો હતો..જ્યારે એક વર્ષથી હોમગાર્ડ તરીકે નોકરી કરે છે.. અક્ષય રાઠોડનો રાત્રે બંદોબસ્તનો પોઇન્ટ નોબલ નગર હતો.. જ્યારે યુવતી રાજસ્થાનની રહેવાસી છે અને અભ્યાસ કરે છે.. આ યુવતીની ટ્રાવેલ્સ છૂટી જતા આરોપી પોતાની બાઈક પર યુવતીને નાના ચિલોડા લઈ ગયો હતો પરંતુ ત્યાં પણ ટ્રાવેલ્સ નહિ મળતા યુવતીએ હોટલમાં રોકાવવાનું નક્કી કર્યું..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...