Tuesday, January 20, 2026

અમદાવાદીઓને રાહત, 24 કલાકમાં AMC એ લીધો યુ ટર્ન, રેડમાંથી કર્યુ ઓરેન્જ એલર્ટ

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 24 કલાકમાં જ યુ ટર્ન લીધો છે. હવામાનને લઈ આપવામાં આવેલા રેડ એલર્ટને (red alert) ઓરેન્જ એલર્ટમાં (orange alert) ફેરવી દીધું છે.

હવામાન વિભાગે આપેલ ઓરેન્જ એલર્ટ હવે AMC એ માન્યું છે. વધુમાં વધુ 45 ડિગ્રી તાપમાનની આગાહી કરી હતી.AMC અને હવામાન વિભાગ વચ્ચે સંકલન વગર જ જાહેર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. સોમવારે AMCને મળેલા રિપોર્ટમાં રેડ એલર્ટનો રિપોર્ટ મળ્યો હતો, જે રિપોર્ટ મળ્યો હતો તેમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી જેટલું હતું. હવે શહેરમાં પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. ગઈકાલના રિપોર્ટ અનુસાર તાપમાન 45 ડિગ્રી રહેવાનો રિપોર્ટ મળ્યો હતો અને કલર ઓરેન્જમાં આ ડિકોડ કરવામાં આવ્યું હતું. AMC દ્વારા 45 ડિગ્રી રિપોર્ટ કર્યો તે હવામાન વિભાગના રિપોર્ટ આધારીત હતો.

દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે દિલ્લીમાં ગરમીએ છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો. દિલ્લીના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 47 ડિગ્રી સુધી પહોંચીગયો છે. દિલ્લી એનસીઆરમાં હાલમાં પ્રચંડ ગરમીને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કરી દીધુ છે. રવિવારે દિલ્લીના નજફગઢમાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

દિલ્લીના બાકીના વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. આવનારા સાત દિવસો માટે ગરમ પવન ફુંકાતો રહે તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે. હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ આવનારા ત્રણ દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાના કોઈ સંકેત નથી.. બંગાળના ગંગા કાંઠાના વિસ્તારો અને બિહારમાં પણ હવામાન વિભાગે ગરમી અને લૂ માટે એલર્ટ જાહેર કરી દીધુ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...