Tuesday, October 14, 2025

નારણપુરામાં હાઉસીંગ રિડેવલપમેન્ટમાં ઠગ ટોળકીઓ સક્રિય…!! હાઉસીંગ અધિકારીઓ અને બિલ્ડરો પરેશાન

Share

અમદાવાદ : ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને માત્ર અમદાવાદમાં રિડેવલપમેન્ટના કાર્યમાં ખાસ્સી એવી તેજી આવી છે, છેલ્લાં કેટલાંક સમયથી નારણપુરા અને સોલા વિસ્તારમાં આવેલ હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ પણ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીમાં જોડાઈ ચુકી છે જયારે અનેક સોસાયટીઓના કામકાજ પાઈપલાઈનમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કેટલાંક લેભાગુ તત્વો આ રિડેવલપમેન્ટમાં મોટો માલ કમાવવાની આશાએ સોસાયટીના રિડેવલપમેન્ટના કામમાં રોડા નાંખી યેનકેન પ્રકારે અટકાવવાના પ્રયાસ કરતા હોવાની ચર્ચા ઉઠી છે.

એક ચર્ચા મુજબ નારણપુરામાં પાંચ થી વધુ સોસાયટીઓ રિડેવપમેન્ટમાં જોડાઈને ડીમોલીશ થઈ ચુકી છે, જયારે ચાર થી પાંચ જેટલી સોસાયટીઓ ત્રિપક્ષીય કરારના અંતિમ તબક્કામાં છે, જયારે બીજી અનેક સોસાયટીઓમાં સહમતિની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે નારણપુરામાં બે-ચાર સોસાયટીઓમાં કેટલાંક લેભાગુ તત્વોએ પગપેસારો કરીને રિડેવલપમેન્ટમાં મોટો મામલ કમાવવાની આશાએ જયાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં મોકાના મકાનો ખરીદી લે છે અને જ્યારે રિડેવલપમેન્ટમાં ટેન્ડર ખૂલે અને ડેવલપર આવે એટલે આવા લેભાગુ તત્વો સોસાયટીના સ્થાનિક ભોળા લોકોને ખોટા વચનો કે ડર બતાવી કાગળિયાંની સાચી ખોટી માયાજાળ રચી પ્રોજેક્ટને ખોરંભે ચડાવવાનો પ્રયત્ન કરતા હોવાની ચર્ચા ઉઠી છે.

એક સ્થાનિકની ફરિયાદ મુજબ આવા લેભાગુ તત્વો કે જેમનો મૂળ ઉદ્દેશ્ય હાઉસીંગના અધિકારીઓને નોકરી બાબતે ડરાવવા અને બિલ્ડરને પ્રોજેક્ટ ડીલેય કરાવવાની મોડેસ ઓપરેન્ડીશ કરી તોડપાની કરી મસમોટા રૂપિયા પડાવવાનો હોય છે અને આવા રૂપિયા થકી આવી બીજી સોસાયટીમાં મકાનો ખરીદી આ જ પ્રકારની મોડસ આપરેન્ડીશ મુજબ નવી સોસાયટીમાં પ્રેક્ટિસ ચાલુ રાખવી.જ્યારે વાતાવરણ ડોહળાય ત્યારબાદ તે ગેંગના જ કોઈ એક બે સભ્ય સમાધાન ફોર્મ્યુલા સાથે આગળ આવે અને પ્રોજેક્ટને સફળ બનાવવાની અને વિરોધી ટોળકીને સમજાવવાની વગેરે મીઠી મીઠી વાતો કરી યોજનાને આખરી ઓપ અપાય તેવી વ્યૂહ રચના ગોઠવે છે.

તમને જણાવી દઈએ કે 300 લોકોની સોસાયટીમાં આવા બે-ચાર લેભાગુ તત્વોને કારણે રિડેવલપમેન્ટ પ્રોજેકેટ લંબાઈ જાય છે જેને કારણે આખરે સ્થાનિક અને નિર્દોષ પ્રજાએ આખરે ભોગવવાનું આવે છે જેથી સૌ લોકોએ આવા લેભાગું તત્વોને ઓળખી કાઢી, આવા લોકોેને જાહેરમાં ઉઘાડા પાડવા જોઈયે. આવા તત્વોને મહત્વ મળે નહિ તો તેઓ 25% માં આવી જશે અને કાયદાનો સરકારી કોરડો જરુર પડશે.હાઉસીંગ બોર્ડે પણ આવા તત્વોને અલગ તારવીને આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...